________________
મંત્રીએ શ્રી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવેલું તે જાણકારી પ્રાપ્ત થાય છે. અહીં મળી આવેલી ઘણી બધી પુરાતન ચીજો તેમજ જિન પ્રતિમાઓ અહીનો પ્રચીન જિન મંદિરોનો પુરાવો આપે છે. આ દેરાસરજીનો જીર્ણોધ્ધાર કરી નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને સંવત ૧૯૦૫ના જેઠ વદ આઠમના દિવસે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મુનિ ભગવંતોએ પણ શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુનો મહિમા મુક્ત કંઠે ગાયો છે. જેમ શંખના નિર્દોષથી સહુ શત્રુગણ ભય પામતા, તેમ શંખલા પ્રભુ પાર્શ્વજી પણ આપદાને ડારતા, શંખલપુરમાં શોભતા ને ત્રણ ભુવન અજવાળતા, શ્રી શંખલા’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શંખલપુરમાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રતિમાજી મૂળનાયક રૂપે નથી છતાં આ પ્રતિમાજી પરમ પ્રભાવિક છે. તથા આજે જિનાલયના ભોંયરામાં ચમત્કારિક નવખંડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. શંખકે ઉદ્ઘોષ સે જય, શત્રુ થર-થર કાંપતા ત્યો શંખલા પ્રભુ પાર્શ્વ સારે, રોગ-શોક નિવારતે || જો શંખલપુર મેં બૈઠ અપને, શ્રાવકો કો ઉગારતા ઐસે ‘શ્રી શંખલા પાર્થ' કો મૈં, ભાવસે કરું વંદના //
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી શંખલા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન
વકો કો ઉગારતા
ન
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૫