________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં ઓગણપચાસમી દેવકુલિકામાં શ્રી કરેડાજી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં અંતરમાં શ્રધ્ધા અને ભક્તિનું સંગીત ગુંજ્યા વગર ન રહે તેવી પ્રતિમાજી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં ઓગણપચાસમી દેરીમાં બિરાજમાન શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી શ્યામવર્ણના છે. તેમજ પરિકરથી પરિવૃત્ત છે. શ્રી કરેડાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તથા ફણાથી અલંકૃત છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ૩૧ ઈંચની ઊંચાઈ ધરાવે છે. આ પ્રતિમાજી અત્યંત મનોહર અને નયનરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિના સૂર ગુંજવા લાગે છે.
મહિમા અપરંપાર
અમદાવાદમાં ખુશાલદાસાઈના પુત્ર જતીનને સ્ટેશનરી ની દુકાન ગાંધીરોડ ૫૨ હતી. ખુશાલભાઈ કાપડમીલમાં નોકરી કરતાં હતા. તેઓ પાંચ વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા પછી તેઓ શાંતિથી ઘેર બેસી નહોતા રહ્યાં. તેમણે ચાર-પાંચ વેપારીઓના નામા લખવાનું કામ શરૂ કરી દીધેલું. ખુશાલદાસભાઈ નિવૃત્ત થયા ત્યારે ખાસ્સી એવી રકમ હાથમાં આવી હતી અને તે રકમથી તેમણે પોતાના એક ના એક પુત્ર જતીનને ગાંધીરોડ પ૨ દુકાન લઈ દીધી હતી. જતીને ત્યાં સ્ટેશનરીનો વ્યવસાય શરૂ કર્યો.
જતીન પોતાનો વ્યવસાય વધારે વિકાસ પામે એ હેતુથી અમદાવાદની મોટી – મોટી સ્કૂલોનો સંપર્ક કરતો હતો અને ત્યાં પોતાને ત્યાંથી પુસ્તકો વિદ્યાર્થીઓ લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરતો હતો.
૭૪
શ્રી રેડાજી પાર્શ્વનાથ