________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી અલૌકિક પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ શંખેશ્વર છે. આજે આ તીર્થ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન અને ભવ્ય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રભાવક અને ચમત્કારિક છે.
શંખેશ્વરમાં અનેક જિનાલયો આવેલા છે. શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીઓ બિરાજમાન કરાઈ છે.
વિક્રમ સંવત ૨૦૪૫ના મહા સુદ પાંચમના મંગલ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક, તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વિકો ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર તીર્થમાં દ૨૨ોજ વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા-જતા રહે છે. દર્શન, વંદન તથા સેવાપૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતાં અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું છે.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ તથા પંચધાતુની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે.
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૪૦