________________
| મહિમા અપરંપાર, | દિવાળીના દિવસો હતા. અમદાવાદમાં રહેતાં મનોજભાઈ શાહના બે નાના પુત્રો રીતેશ અને અજયને ફટાકડાં ફોડવાનો ભારે શોખ હતો. આજુબાજુમાં રહેતા પાડોસના છોકરાઓ ફટાકટાં ફોડે એટલે તેઓને પણ ફટાકડાં ફોડવાનું મન થઈ જાય તે સ્વાભાવિક હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રીતેશ અને અજયે જીદ કરીને ફટાકડાં લઈ આવ્યા હતા. મમ્મી ઉષાબેન તો ધાર્મિક દૃષ્ટિથી ફટાકડાં ફોડવાનો વિરોધ કરતાં હતા. તેઓ બન્ને બાળકોને સમજાવતાં હતા પરંતુ બાળકો માટે ખરા?
દિવાળીના દિવસે જ રીતેશ રોકેટ ફોડવા જતો હતો. રોકેટ કંઈક ત્રાંસુ મૂકાઈ ગયું. રીતેશે અગરબત્તીથી રોકેટની વાટ સળગાવી. રોકેટ ફૂટ્યું આડુ અને તે રોકેટ સીધું રીતેશના મોઢાને દઝાડી ગઈ. રીતેશે મોટી બૂમ પાડી.
તરત જ તેના મમ્મી પપ્પા બહાર દોડી આવ્યા. રીતેશની પાસે છોકરાઓ ભેગા થઈ ગયા. મનોજભાઈ અને ઉષાબેન રીતેશને લઈને ઘરમાં આવ્યા.
| ઉષાબેન કહે : “હું હંમેશા ના પાડતી હતી કે ફટાકડાં ન ફોડો પણ મારી વાત કોણ સાંભળે છે?'.
મનોજભાઈ બોલ્યા: ઉષા, અત્યારે ટોણાં મારવાનો સમય નથી. આપણે રીતેશને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવો પડશે.'
એમજ થયું. રીક્ષામાં રીતેશને બેસાડીને મનોજભાઈ તથા ઉષાબેન હોસ્પિટલે પહોંચ્યા તે દરમ્યાન ઉષાબેન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં એકસઠમી દેરીમાં બિરાજમાન શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવા લાગ્યા અને મનોમન નક્કી કર્યું કે મારા રીતેશને સારું થઈ જે તો દર્શનાર્થે આવીશ.
સૌ હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં હાજર રહેલા ડોક્ટરે તરત જ સારવાર શરૂ કરી દીધી. લગભગ એક કલાક બાદ ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું : “જો તમે અર્ધો કલાક મોડા આવ્યા હોત તો રીતેશને પ્લાસ્ટીક સર્જરી કરાવી પડત...
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૪