________________
વિશેષ જાણકારી રાજસ્થાનમાં શિરોહી જીલ્લાના ગુન ગામે શ્રી આશાપુરણ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને મુખ્ય જિનાલય છે. આ તીર્થસ્થળમાં યાત્રિકોની અવર-જવર વિશેષ રહે છે. શિરોહીમાં અનેક પ્રાચીન જિનાલયો આવેલા છે. નૂન ગામના શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુના અવશ્ય દર્શન વંદન કરવા. જિનાલય અત્યંત કલાત્મક છે.
આ મહિમા અપરંપાર અમરાવતીમાં વર્ષોથી રહેતા ચંપકલાલનો પરિવાર સુખી અને સમૃધ્ધ હતો. ચંપકલાલને ત્યાં કાપડનો હોલસેલ વેપાર હતો. ચંપકલાલ અને તેમની પત્ની સુનયનાબેનને પોતાની ૨૪ વર્ષની પુત્રી દિવ્યાની ચિંતા રહેતી હતી. દિવ્યા ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી તેમજ તે ઘરમાં ટ્યુશનના ક્લાસીઝ ચલાવી રહી હતી.
ચંપકલાલ અને સુનયનાબેન પોતાની પુત્રી માટે ઠેકાણાં જોતાં હતા પરંતુ અનુકૂળ આવતું નહોતું.
એક દિવસ ચંપકલાલની પાસે તેમના ખૂબજ જૂના મિત્ર મફતલાલ આવી ચડ્યા.
બન્ને મિત્રો ઘણા વર્ષો પછી ભેગા થયા હતા. મફતલાલ તો મુંબઈ રહેતા હતા. તેમના | મફતલાલે કહ્યું : “ચંપક, આપણે ઘણા વર્ષો પછી મળીએ છીએ. આપણે સ્કૂલના અભ્યાસ વખતે સાથે જૈન બૌડીંગમાં એક જ રૂમમાં રહેતા હતા. મારે મુંબઈ આવી જવું પડ્યું અને તારે અમરાવતીને કર્મભૂમિ બનાવવી પડી. આટલા વર્ષોમાં એકાદ-બેવાર ટેલીફોન દ્વારા આપણે મળ્યા પણ રૂબરૂ તો આજે જ મળવાનું થયું છે.'
“હા... મફતલાલ, દિવસો, મહિનાઓ અને વર્ષો ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર રહેતી નથી. હું મુંબઈ પણ આવતો નથી. ત્યાં મારું કોઈ છે નહિં. દેશમાં જઉ ત્યારે ગામડે જાઉ અને શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા કરી આવું... અને
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૬૦