________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. એવા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં છાસઠમી |
દેવકુલિકામાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તો
મહિમા અપરંપાર જીતુભાઈ મારવાડી મૂળ મારવાડના હતા પરંતુ તેમણે પોતાનો વેપાર ભાવનગરમાં શરૂ કર્યો હતો અને ભાવનગરમાં મકાન લઈને તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં માતાપિતા, પત્ની અને એક પુત્ર હતો. જ એકવાર જીતુભાઈ મારવાડીનો પુત્ર ગંભીર બીમારીમાં પટકાયો હતો. જીતુભાઈ મારવાડીએ પોતાના પુત્ર સંદીપની સારવારમાં જરાય કચાશ રાખી નહોતી. તેમણે ભાવનગરના મોટા-મોટા ડોક્ટરોને બતાવ્યું પણ તેમની દવાઓથી કશો ફરક ન પડ્યો ત્યારે ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે તમે સંદીપને અમદાવાદ લઈ જાઓ...'
જીતુભાઈ મારવાડીના માતાજી ભદ્રાબેનને શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેઓ દરરોજ શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુના જાપ પણ કરતાં હતા.
ભદ્રાબેને કહ્યું. : ‘જીતુ, સંદીપ કેટલાય દિવસોથી હેરાન થઈ રહ્યો છે... અહીંના ડોક્ટરો અમદાવાદ જવાનું કહે છે.પણ મને મારા શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. શ્રી સુલતાન પાર્શ્વનાથ બાદશાહોના
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૬