________________
ભમતીમાં સડસઠમી દેવકુલિકામાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત્ત છે. આ પ્રતિમાજીના દર્શન કરવાથી અંતરમાં ભક્તિના સૂરો ગુંજ્યા વગર રહેતા નથી.
મહિમા અપરંપાર પ્રાણીમાત્રને પોતાના કર્મ અનુસાર જીવન વીતાવવું પડતું હોય છે. ચોટીલામાં રહેતો પ્રાણજીવનનો પરિવાર અત્યંત કષ્ટમય દશામાં જીવન વીતાવી રહ્યો હતો. પ્રાણજીવન ચોટીલાની બજારમાં એક જગ્યા પર બેસીને બંગડી - ચાંદલાનો નાનો વેપાર કરી રહ્યો હતો. પ્રાણજીવન રોજનું કમાતો અને રોજનું ખાતો તેવી પરિસ્થિતિ હતી. પ્રાણજીવન અને તેની પત્ની નિયમિત શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજા કરવા અવશ્ય જતા. ભાવભરી ભક્તિ કરતાં.
એક દિવસ પ્રાણજીવનની પત્ની રેણુકાએ કહ્યું : “આપણી સ્થિતિ કાયમ આવી જ રહેવાની છે. દુઃખના દિવસો ક્યારેય પૂરા નહિ થાય...!' ફી
પ્રાણજીવને કહ્યું : “રેણુકા, આપણા જીવનમાં કષ્ટ ભોગવવાનું લખ્યું છે તેથી તે ભોગવ્યા સિવાય છૂટકો નથી. ચોટીલામાં હમણાં હમણાં નવી નવી દુકાનો થઈ છે તેથી મારો રસ્તા પરનો વેપાર પર મંદ પડ્યો છે. આપણે બન્નેને ક્યારેક એકાસણાં કે ઉપવાસ કરવાનો વારો આવે છે પરંતુ તે આરાધના અનેરી ભક્તિથી કરીએ છીએ.
એકબાજુ મોંઘવારી વધતી જાય છે. અને બીજી બાજુ આવક પણ નથી. આપણા બન્નેના જીવન શી રીતે ટકી શકશે ?'
ના ‘તારી વાત સાવ સાચી છે. મારો એક મિત્ર હમણાં શંખેશ્વર યાત્રાએ ગયો હતો ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ભમતીમાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. તેમની ભક્તિ કરવાથી કષ્ટો દૂર થાય છે. આજથી આપણે બન્ને શ્રી દુઃખ ભંજન પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપ શરૂ
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૩