________________
કરી દઈએ. મારા મિત્રએ મને મંત્ર આપેલો છે.” | ‘એમ...તો તો આજથી મંત્ર જાપ શરૂ કરી દઈએ. આપણી સ્થિતિ સુધરશે ત્યારે શંખેશ્વર દર્શનાર્થે જઈ આવીશું.’ રેણુકા બોલી.
અને એ દિવસથી બન્ને પતિ-પત્નીએ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથના મંત્ર જાપ શરૂ કરી દીધા. બન્ને દરરોજ ૨૧-૨૧ માળા ફેરવવા લાગ્યા.
- આમને આમ પંદર દિવસ પસાર થઈ ગયા. ત્યાં એક દિવસ પ્રાણજીવન પાસે એક માણસ આવ્યો અને : ‘ભાઈ, તમારા કપાળ પર ચાંદલો જોઈને લાગે છે કે તમે જૈન છો. ?'
હા...' પ્રાણજીવને કહ્યું.
‘તમને આ વેપારમાં કેટલી આવક થાય છે ?' [ “કંઈ નક્કી ન હોય ક્યારેક મહિને બે હજાર તો ક્યારેક મહિને ૭૦૦ કે ૮૦૦ જેટલી રકમ મળે છે. નવી દુકાનો થઈ છે એથી આ ધંધો પણ ઠપ્પ થઈ રહ્યો
| ‘તમે મારા સાધર્મિક છો. હું તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું વતન મળે તેવું ગોઠવી દઉં તો...!!
“મને વાંધો નથી...મારે શું કરવાનું છે ?'
‘અમારી ચોટીલામાં બોર્ડીંગ છે તેમાં ગૃહપતિ તરીકે રહેવાનું છે. તમારે તમારા પરિવાર સાથે રહેવું પડશે અને જમવાનું પણ ત્યાં જ રાખવાનું. તમારો પગાર પાંચ હજાર રહેશે.'
‘ભલે...મને મંજુર છે.’ પ્રાણજીવન બોલી ઊઠ્યો. [ બીજા દિવસથી પ્રાણજીવને બોડીંગના ગૃહપતિનો કાર્યભાર સંભાળી લીધો. શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુના જાપ ચાલુ જ રાખ્યા. પતિ-પત્નીની શ્રધ્ધા વધી હતી. એક રવિવારે બન્ને શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા સાથે ભક્તિ કરી. આમ પતિ-પત્નીના દુઃખનો અંત શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ સાથે આવી ગયો.
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૪