________________
પરમેશ્વર છે. ભોજકોની અશ્રુભીની વાણીથી સહેજ થંભી ગયેલા બાદશાહ પ્રતિમાના પરમેશ્વર પણાનું પ્રમાણ માગ્યું. શ્રધ્ધાનો મહાનલ પ્રગટાવીને આ ભોજકોએ સંગીતના સૂર વહેતા મૂક્યા, દીપક રાગે જાદુ કર્યો. ધૃત પૂરીને રાખેલા ૯૯ દીપક સ્વયં પ્રગટી ઉઠ્યા.
સ્વયં પ્રગટેલા આ દીપકોનું આશ્ચર્ય શમ્યું નથી. ત્યાંજ એક સર્પ પ્રગટ થઈ સુલતાન સામે આવી બેઠો. પ્રતિમાનો પ્રચંડ વિરોધી પ્રતિમાના આ પ્રભાવ જાણી લજ્જિત બન્યો. “આ દેવ તો બાદશાહનો પણ બાદશાહ સુલતાન છે.' એમ બોલીને પ્રતિમાને તોડ્યા વગર અલ્લાઉદ્દીન ખીલજી પાછો ફર્યો. તે દિવસથી આ પ્રભુજીની આગળ “સુલતાન’નું વિશેષણ ચિરસ્થાયી બની રહ્યું. આ “સુલતાન’ નામની ભીતરમાં ભોજકોનો અખૂટ શ્રધ્ધા વૈભવ તથા અપૂર્વ શાસન ભક્તિ છૂપાયેલા છે. આ પ્રતિમાજી સંપ્રતિ કાલીન છે. (૨) મુનિ ભગવંતોએ આ તીર્થના મહિમા ગાન ગાયેલા છે.
સુલતાન જો ત્રિલોક કે, શહેંશાહ મહારાજ હૈં ભવ-સિંધુ તરને કે લિયે, જે સર્વ શ્રેષ્ઠ જહાજ હૈ , - સિધ્ધપુર મંડન પ્રભુજી, સંઘ કે સિરતાજ હૈં ઐસે શ્રી સુલ્તાન પાર્શ્વ, કો મેં, ભાવસે કરું વંદના II
બાદશાહોના બાદશાહ છે તેથી જ તે સુલતાન છે, સહુ ભાન ભૂલીને સમયનું તુજ ભક્તિમાં ગુલતાન છે, છે સિધ્ધપુર મંડન પ્રભુ જે સિધ્ધ દેતા ભવ્યને, સુલતાન’ પારસનાથને ભાવે કરું હું વંદના.
પ્રતિમાજીનું ખંડન કરવા આવેલ અલ્લાઉદ્દીન ખીલજીને દેરાસરમાં ભોજકોએ દીપક રાગ ગાઈને ૯૯ દીપકો પ્રગટાવી બતાવ્યા ને સર્પના રૂપમાં અધિષ્ઠાયક બાદશાહની સામે આવતાં અલ્લાઉદ્દીને કહ્યું, “આ તો... બાદશાહનાય બાદશાહ સુલતાન છે...' ત્યારથી આ પ્રતિમાજી “સુલતાન પાર્શ્વનાથ' કહેવાયા...
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૪