________________
બાદશાહ છે. તેમની ભક્તિ કરવાથી બધા કષ્ટો નષ્ટ પામે છે. તું જો જે બે દિવસમાં સંદીપ સ્વસ્થ થઈ જશે. તેના બધા રીપોર્ટ નોર્મલ આવી જશે. આજે જ મેં અત્યંત શ્રધ્ધાથી શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અને જાપ કર્યાં છે.
જીતુભાઈ બોલ્યા : ‘પણ આપણે અમદાવાદ તો જવું જ પડશે. આપની ભક્તિ વંદનીય છે પણ આમ હાથ જોડીને બેસી રહેવું કેમ પાલવે ? સંદીપને કંઈ થઈ જશે તો ઉપાધિ આવી પડશે.'
‘તું ગમે તે કહે... મને મારા પ્રભુ પ્રત્યે શ્રધ્ધા છે. તું આજે નહિ કાલે અમદાવાદ જજે. ત્યાંના ડોક્ટરો રીપોર્ટ કઢાવશે તો દરેક રીપોર્ટમાં કશું જ નહિ હોય.’
‘બા, તમારી વાણી ફળે તેમ હું ઈચ્છું છું. આવતીકાલે આપણે સૌ અમદાવાદ સાથે જ સુમો કરીને જઈશું...'
એમજ થયું. બીજે દિવસે જીતુભાઈ મારવાડીનો પરિવાર અમદાવાદ ગયો ત્યાંના અત્યંત જાણીતા ડોક્ટરને બતાવ્યું. રીપોર્ટસ નવા કઢાવ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે રીપોર્ટસમાં કશું ન આવ્યું. બધું જ નોર્મલ હતું. સંદીપ પણ ખુશ મિજાજમાં હતો.
આમ ભદ્રાબેનની વાણી ફળી. તેમની ભક્તિ યથાર્થ ઠરી. જીતુભાઈ મારવાડીનો પરિવાર ત્યાંથી સીધો શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ-ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી તેમાંય ભક્તિ વિહાર જિનાલયની છાસંઠમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી. જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ કરી જાય છે. પરિવાર ભાવનગર પાછો ફર્યો.
શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવિકોના મનોરથોને સિધ્ધ
કરે છે.
૧૮૭
શ્રી સુલતાન પાર્શ્વનાથ