________________
પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચોસઠમી દેવકુલિકામાં શ્રીસિરોડીયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે.
મહિમા અપરંપાર
નડિયાદમાં દીપકભાઈ શેઠને લોખંડનો વેપાર...ગયા વર્ષમાં તેઓ ખૂબ કમાયા હતા. તેણે કેટલીક રકમ પુત્ર અને પુત્રીના ભવિષ્ય માટે બેંકમાં વ્યાજે મૂકી. તેમજ અન્ય રકમ વ્યાજે ફેરવવા લાગ્યા. દીપકભાઈના પત્ની અત્યંત ધર્મ શ્રધ્ધાળુ હતા. તેઓ નિયમિત સેવા પૂજા અને તપ આદિ કરતાં રહેતા.
એક દિવસ દીપકભાઈએ કહ્યું : “શોભા, ગયું વર્ષ આપણા માટે અત્યંત ફળદાયી નીવડ્યું છે. આપણે કેટલીક રકમ ધર્મકાર્યમાં વાપરવી છે. તારી શું સલાહ
છે ?'
જ “દીપક, નડીયાદમાં તો આપણે અવાર-નવાર લાભ લેતા હોઈએ છીએ. આપ જાણો છો કે મને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહા પ્રાસાદમાં બિરાજમાન શ્રી સિરોડીયાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. હું દરરોજ શ્રી શિરોડીયાજી પાર્શ્વનાથ પ્રભુની માળા પણ કરું છું. જો આપ સહમત થાઓ તો આપણે શંખેશ્વર જઈએ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં રકમનો સદ્વ્યય
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૧