________________
દેવાત્માની આ ચેષ્ટા સપ્રયોજન હતી. દૈવી સહાયથી ધન શ્રેષ્ઠીએ ત્રણ જિનબિંબોને બહાર આણ્યા. આ ત્રણમાંના એક પ્રતિમાજીને ચારૂપ ગામમાં પધરાવીને તીર્થની પ્રતિષ્ઠા કરી. અહીં કારતક વદી-૧ ના દિવસે મોટો મેળો ભરાય છે. આખું પાટણ દર્શનાર્થે છે. અને ગામેગામથી યાત્રાર્થીઓ પધારે છે. જેઠ સુદ-૫નો પણ અહીં ખૂબ મહિમા છે. (સંકલિત) જામા મુનિરાજે શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતાં ગાન કર્યું છે. “ચારૂપ તીર્થે ચાર રૂપ કરતી પ્રતિમા આપની, જોતા ઠરે નયનો અમારાને ઠરે મોહતાપણી, અષાઢીના પ્યારા પ્રભુ લાગે ધૂન અજપાજપની, ‘ચારૂપ” પારસનાથ ભાવે કરું વંદના...” અષાઢી શ્રાવકે ભરાવેલ આ પ્રાચીન પ્રતિમાજી બાલ, કુમાર, યુવા અને વૃધ્ધ એમ ચાર રૂપ બદલે છે. ચાર રૂપનું અપભ્રંશ “ચારૂપ’ થયું છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ચારૂપ પાર્શ્વનાથ | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. ની
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૯