________________
કરીએ...'
, ‘તારી વાત સાચી છે. આપણે બન્ને સંતાનોને લઈને શંખેશ્વર જઈ આવીએ અને તું કહે છે તેમ ત્યાં રકમ નોંધાવી દઈશું.” પર “એક શરતે શંખેશ્વર જઈએ. ત્યાં બે દિવસ રોકાણ કરવાનું હોય તો જ જવું છે. દર વખતે સવારે પહોંચીએ અને બપોરે નીકળી જઈએ છીએ તેમ કરવું નથી.”
| દીપકભાઈ હસી પડ્યા અને કહ્યું : “ભલે...આપણે ત્યાં બે દિવસ રોકાઈશું.'
અને દીપકભાઈનો પરિવાર શનિવારે શંખેશ્વર જવા નીકળી ગયો. તેઓની પાસે નવીજ ગાડી હતી. તેઓ શનિવારે વહેલી પરોઢે નીકળ્યા હતા. અને સવારે નવ કલાકે તો શંખેશ્વર આવી પહોંચ્યા.
શંખેશ્વરમાં તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. દીપકભાઈ, તેમના પત્ની શોભા, પુત્ર હિરેન અને પુત્રી રોમા વગેરે સર્વ પ્રથમ નવકારશી વાપરવા ગયા. ત્યારબાદ સ્નાનકાર્ય સંપન્ન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં સેવાપૂજા કરવા ગયા.
તે દીપકભાઈના પરિવારે અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા કરી અને ખાસ તો ચોસઠમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સિરોડીયા પાર્થ પ્રભુની સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. દીપકભાઈ અને શોભા ભાવ વિભોર બની ગયા.
| દીપકભાઈ બે હા જોડીને શ્રી સિરોડીયા પાર્શ્વ પ્રભુની ભક્તિ કરતાં બોલ્યા : “હે દિવ્ય પૂંજને ધારણ કરનારા પાર્શ્વનાથ પ્રભુ...! મેં આપના ચરણ કમળના દર્શન માત્રથી મારા નયનોને પરમ પવિત્ર કર્યા. મારા જીવનમાં આવેલ વિપત્તિઓના વાદળોનું વિસર્જન થયું. વિપ્નો સમૂહો નષ્ટ થયા. મારા ભાગ્યનો મહોદય થયો. મારૂં સૌભાગ્ય ખીલી ઉઠ્યું. મારું શ્રેય વિકાસ પામ્યું. હે પાર્શ્વ પ્રભુ ! આપની કરૂણાનો કોઈ પાર નથી. હે પ્રભુ, આપની દિવ્ય કૃપા સદાય અમારા પરિવાર પર વરસતી રહે....
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૨