________________
Bolan miss fie
ચાર
લોકોને થઈ. આ જિનાલયના નિર્માણ પાછળ એક શ્રધ્ધાવાન શ્રાવકની કથા સંકળાયેલી છે.
પંદરમાં સૈકાના પ્રારંભે ભંડારી પરિવારો મારવાડમાં આવીને વસ્યા હતા. તેઓ પોતાની કૌશલ્યતા અને ચાતુર્યના કારણે રાજ્યના ઉચ્ચ હોદા પર સ્થાન
પામ્યા હતા.
જોઘપુરના મહારાજા ગજરાજસિંહે અમર ભંડારીના પુત્ર ભાણજી ભંડારીને જેતારણના અધિકારી તરીકે પસંદ કર્યાં. ભાણજી ભંડારીએ જેતારણ પહોંચીને કાર્યભાર સંભાળી લીધો.
ભાણજી ભંડારીએ જેતા૨ણ જઈને સુંદર કામગીરી બજાવવા માંડી. આથી ઈર્ષાળુ રાજ કર્મચારીઓએ રાજા ગજરાજસિંહના કાન ભંભેર્યા. રાજા ગજરાજસિંહ રાજકર્મચા૨ીઓની વાતોમાં સપડાઈ ગયો અને ભાણજી ભંડા૨ીને તત્કાળ જોધપુર આવી જવાનો સંદેશો મોકલ્યો. સંદેશા વાચન પરથી જ ભાણજી ભંડારીને અંદાજ આવી ગયો કે મહારાજા કોઈની ચઢામણીનો ભોગ બન્યા છે. કંઈક નવાજૂની અવશ્ય થવાની જ.
મહારાજાની આજ્ઞાનું પાલન કરવા ભાણજી ભંડા૨ી જોતા૨ણથી જોધપુર જવા નીકળી પડ્યો. તેણે માર્ગમાં કાપરડા ગામે મુકામ કર્યો. ભોજનનો સમય થતાં ભાણજી ભંડારી સાથે આવેલાં માણસોએ ભોજન માટે આમંત્રણ આપ્યું. પરંતુ ભાણજી ભંડારીને શ્રી જિનપૂજા વગર ભોજન ગ્રહણ ન કરવાની ટેક હતી. તેણે ભોજન માટેના પાડી, તેથી સાથેના માણસોએ તેની દૃઢ પ્રતિજ્ઞા જાણીને ગામમાં જિનમૂર્તિ' માટે તપાસ આદરી.
ગામમાં એક જૈન યતિજી હતા. તેમની પાસે શ્રી જિન પ્રતિમાજી હતી. આમ શ્રી જિન પ્રતિમાજી પ્રાપ્ત થતાં ભાણજી ભંડારીએ સ્નાનાદિથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કરીને પ્રસન્ન ભાવે પ્રભુની સેવા-પૂજા કરી અને ટેક પાળી. જૈન તિ મહારાજ ભાણજી ભંડારીના દૃઢ મનોબળથી પ્રસન્ન થયા અને જણાવ્યું કે રાજા પાસે તું નિર્દોષ ઠરીશ. અને યતિ મહારાજના કથન મુજબ જ થયું.
૧૬૪
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ