________________
મણિલાલભાઈના પત્ની રંજનબેન ધાર્મિક પ્રવૃત્તિના હતા.
1 મણિલાલભાઈના ઘરમાં બધું બરાબર ચાલતું હતું. પરંતુ છેલ્લા છે મહિનાથી કામની બાબતે ત્રણેય ભાઈઓની પત્નીઓ વચ્ચે ઝઘડો થતો હતો. પછી તો એવો સમય આવી ગયો કે સાવ અમસ્તી વાતમાં ઝઘડો થઈ જતો તેમાં મોટા દીકરાની વહુ તો આ દિવસ પોતાના રૂમમાં ભરાઈ જતી. બહાર નીકળતી જ નહિ.
મણિલાલભાઈ પોતાના ઘરમાં થતાં આ કલહથી ભારે ચિંતામગ્ન બન્યા હતા. તેઓ અવાર-નવાર પુત્રવધૂઓને સમજાવતાં હતા. પરંતુ બે દિવસ બધું સરખું ચાલે પાછી એની એ જ રામાયણ ઊભી થતી.
આથી મણિલાલે મોટા પુત્ર રમેશને કહ્યું: ‘રમેશ, હમણાં ઘરમાં કજીયા કંકાશ વધ્યો છે. જ્યાં કંકાશ હોય ત્યાં લક્ષ્મી સ્થિર રહેતી નથી. આનો ઉપાય વિચારવો પડશે.
‘પિતાજી, આપ જ ઉપાયા વિચારો. હું પણ આ કજીયા કંકાશથી ભારે કંટાળી ગયો છું.”
‘તું એક કામ કર...હમણાં થોડો સમય જુદો રહેવા ચાલ્યો જા ...'
ના...પિતાજી, એવું કહેશો નહિ, અમે ત્રણેય ભાઈઓ ક્યારેય તમારાથી અલગ થવાનો વિચાર કરવાના નથી. આપ એવો ઉપાય કરો કે આ કજીયો કંકાશ બંધ થાય...'
એક ઉપાય છે. ત્રણેય વહુઓને કોઈ બહારની વ્યક્તિ સમજાવે તો પરિણામ આવી શકે છે.' - દિનેશે કહ્યું : “પપ્પા, એ ઉપાય પણ અજમાવી જોઈએ.”
બીજે દિવસે મણિલાલભાઈના મોટાભાઈને બોલાવવામાં આવ્યા. તેમણે પરિવારના બધા સભ્યોને સાથે બેસાડીને જીવન મંગલ કેમ બને તેવી વાત કરી.
ચાર દિવસ ઘરમાં કંકાશ બંધ થયો ત્યાં પાંચમા દિવસે પાછી એ જ કજીયાની હોળી શરૂ થઈ.
ત્યારે રંજનબેન બોલ્યો: ‘આપણે શંખેશ્વર જઈએ છેલ્લા એક વર્ષથી જઈ
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૪૨