________________
પ્રકારના ઉપચારો કર્યા, પરંતુ કોઈ ઉપાય કારગત ન નીવડ્યો. | રાજા પાલણ રાજસભામાં આવતો નહોતો. રાજાની નબળાઈનો લાભ તેના ભાયાતોને લઈને રાજય પચાવી પાડ્યું અને પાલણને નગરી બહાર કાઢી મૂક્યો. રાજા પાલણ કુષ્ઠરોગ સાથે અહીં તહીં ભટકવા લાગ્યો, ત્યારે તેનો ભેટો આચાર્ય શીલધવલસૂરિ સાથે થયો.
રાજા પાલણ આચાર્ય ભગવંત સમક્ષ પોતાની કરૂણ કથની કહી સંભળાવી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને પોતાનાથી આચરાઈ ગયેલું પાપ જ્ઞાની ભગવંત સમક્ષ રજૂ કર્યું. રાજાએ પોતાનાથી થઈ ગયેલા દુષ્ટકૃત્યનું પ્રાયશ્ચિત આપવા આચાર્ય ભગવંતને વિનંતી કરી.
ત્યારે આચાર્ય ભગવંત શ્રી શીલધવલસૂરિજી મહારાજાએ રાજા પાલણને સાંત્વન આપીને કહ્યું : “રાજનું, તારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. આ માટે તને ભરપૂર પશ્ચાતાપ થઈ રહ્યો છે. એટલે પ્રાયશ્ચિત રૂપે તું એક મનોહર જિનપ્રતિમા ભરાવીને તેની નિત્ય સેવા-પૂજા કર...'
મહારાજા પાલણે ગુરૂ ભગવંતને વંદન કર્યા અને ગુરૂદેવના વચનોને અનુસરીને રાજાએ શ્રી પાર્શ્વપ્રભુની દિવ્ય અને ભવ્ય જિન પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. તે નિયમિત સેવા-પૂજા કરવા લાગ્યો. પરમાત્માની પૂજાના પ્રભાવથી તેનો વર્ષોથી પરેશાન કરતો કચ્છનો વ્યાધિ નષ્ટ થયો. આવો દિવ્ય ચમત્કાર થતાં રાજા પાલણની જિનશાસન પ્રત્યેની ભક્તિમાં ઉમેરો થતાં રાજા પાલણની કાયા શ્રી પાર્શ્વ પ્રભુની સેવા પૂજાથી પલ્લવિત બનતાં રાજાએ પ્રતિમાના દિવ્ય પ્રભાવથી પરમાત્માને ‘પલ્લવિયા પાર્શ્વનાથ' ના નામથી પોકાર્યા. | પાલણ રાજાએ વિક્રમ સંવત ૧૦૧૧ની સાલમાં નૂતન નગર વસાવ્યું. તેણે આ નગરનું નામ પોતાના નામ પરથી પાલ્ડણપુર કે પ્રહલાદનપુર રાખ્યું. આ નગરીને પોતાના રાજ્યની રાજધાની બનાવી. તેણે અહીં. “પ્રહલાદન વિહાર' નામનો ભવ્ય જિન પ્રાસાદ બંધાવીને તેમાં ‘શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ” બિરાજમાન કર્યા. આ પ્રસંગ અનેરા ઉમંગ સાથે ભવ્ય મહોત્સવ રચીને ઉજવ્યો હતો. આ પ્રતિમાજીને ‘પ્રહલાદન પાર્શ્વનાથ” ના નામથી પણ ઓળખાતા રહ્યાં હતા.
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૧.