________________
noen gafa fle
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ડોસલા પાર્શ્વનાથ
વિશ્વમાં શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રસિધ્ધ છે. આ સ્થળ અત્યંત પવિત્ર અને મનોરમ્ય છે. અહીં શ્રી શંખેવર પાર્શ્વનાથ પ્રભુની યુગો જુની પ્રતિમાજી બિરાજમાન છે. આથી આ તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધારે થતો જાય છે. શંખેશ્વરમાં દ૨૨ોજ હજારો યાત્રિકોની અવ૨-જવર રહે છે. અને અનેરી શ્રધ્ધા અને ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરે છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી એટલી તેજ ધરાવતી છે કે જોનારના હૈયામાં ભક્તિના ભાવ જાગૃત થયા વિના રહી શકતા નથી. શંખેશ્વરમાં બીજું મનોરમ્ય અને જાગૃત તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ છે. અહીંના ભવ્ય જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરની યાત્રાએ આવનારને શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના તીર્થોના દર્શનનો અનેરો લ્હાવો મળે છે એટલું જ નહિ ભક્તિ, સેવા-પૂજા કરવાનો પણ દિવ્ય લાભ મળે છે.
આ તીર્થના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છસૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. આ ભવ્ય જિનાલયની અંજન શલાકા તથા પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ ના મહાસુદ પાંચમના દિવસે અનેરા ધર્મોલ્લાસ સાથે થઈ હતી.
આ ભવ્ય જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. લગભગ ૫૦ વિઘા જમીન પ૨ ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરામાં પથરાયેલું આ તીર્થ પદ્મ સરોવર જેવું દીપે છે.
७८
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ