________________
CHE
શરૂ કર્યુ.
અંધ શિલ્પીએ સૂર્યાસ્ત બાદ શિલ્પકામ શરૂ કર્યુ અને બીજે દિવસે સૂર્ય ઉગે તે પહેલાં એક અતિ મનોહર જિનબિંબનું સર્જન થઈ ચૂક્યું હતું.
એક તરફ અંધ શિલ્પીએ શ્રી પાર્શ્વ પ્રભુનું દર્શનીય અને મનોહારી જિનબિંબનું નિર્માણ કર્યું તે જ રાત્રે આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસુરીજી મહારાજે પોતાની મંત્રસિધ્ધિથી અયોધ્યા નગરીથી ચાર જિનબિંબો અત્રે લઈ આવવાનું વિચાર્યું.
આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીજી મહારાજ એક સિધ્ધ મહાત્મા હતા. તેમણે મંત્ર શક્તિના બળે ચાર જિનબિંબો અત્રે લાવવાની કામના કરી. સિધ્ધપુરુષની કામના ક્યારેય નિષ્ફળ જતી નથી.
સિધ્ધપુરુષની ઈચ્છા ક્યારેય અફળ થતી નથી.
સિધ્ધ મહાત્મા આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની ઈચ્છા...તેમનો દૃઢ સંકલ્પ હતો. અને અયોધ્યા નગરીથી ચાર જિનબિંબો અદશ્ય રીતે રવાના થઈ પરંતુ ચારમાંથી એક પ્રતિમાજીને પ્રાતઃ કાળ થઈ જતાં માર્ગમાં ધારાસેનક નામના ગામમાં પધરાવવામાં આવી. અન્ય ત્રણ પ્રતિમાજીઓ આવી પહોંચી. ત્યાંતો આસપાસમાં એક જગ્યાએથી બીજી ચોવીસ જિનપ્રતિમાજીઓ મળી આવી.
આ તમામ જિનપ્રતિમાજીઓને શેરીસા ગામમાં એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. જ્યારે અંધ શિલ્પીએ એક રાતમાં નિર્માણ કરેલી સુમનોહર પ્રતિમાજી શ્રી શે૨ીસા પાર્શ્વનાથના નામથી જગવિખ્યાત થઈ.
આ તીર્થની સ્થાપના બારમા સૈકામાં થયાના ઉલ્લેખો છે.
એમ કહેવાય છે કે મૂળનાયક પ્રભુની પ્રતિમાજી ડોલતી રહેતી હતી. તેથી ‘લોડણ પાર્શ્વનાથ’ ના નામથી ઓળખાવા લાગી, પરંતુ આચાર્ય ભગવંતે મંત્રશક્તિથી આ ડોલતી પ્રતિમાજીને સ્થિર કરી.
કવિ લાવણ્યજીએ એક સ્તવનમાં જણાવેલ છે કે પરમાત્માનું પ્રક્ષાલનજળ
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૧