________________
સેવાપૂજા કરી હરખચંદભાઈના પરિવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન સર્વપ્રતિમાજીઓની સેવાપૂજા ઉપરાંત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પણ સેવા-પૂજા અને ભક્તિ કરી.
બે દિવસ રોકાઈને હરખચંદભાઈ કોઠારીનો પરિવાર શંખેશ્વરથી વાંકાનેર પરત ફર્યો. દિનેશના મિત્ર પરેશને પણ શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે શ્રધ્ધા બેસી ગઈ. પરેશ લોહાણા જ્ઞાતિનો હતો. દિનેશે તેને નવકાર મંત્ર શીખવાડયો હતો. આથી તે નિયમિત નવકારનું રટણ કરતો હતો.
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં ચમત્કારી પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં હ્રીં શ્રીં ચમત્કારી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ચમત્કારી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને એકજ આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ અને દીપ અખંડ રાખવા. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવાથી વિપ્નોમાં બચાવ થાય છે તેમજ જીવનમાં મંગલ થાય છે.
સંપર્કઃ શ્રી ચમારી પાર્શ્વનાથ જૈન તીર્થ
શ્રી શ્વેતામ્બર મૂ. પૂ. જૈન પેઢી મુ.પો. બદનાવર (વર્ધમાનપુર) - ૪૪પ૬૬૭.
જિ. ધાર. (મ.પ્ર.) ફોન : (૦૭૨૯૫) ૩૩૮૧૪, ૩૩૭૩૬ પી.પી.
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ
૮૯