________________
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
ગુજરાતના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્યતીર્થ આવેલું છે. ગોપીપુરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય, આગમ મંદિર, અષ્ટાપદજીનું મંદિર વગેરે દર્શનીય સ્થાનો આવેલાં છે.
સુરતમાં ઉપાશ્રયો, પાઠશાળાઓ, આયંબીલ ભવન વગેરે આવેલા છે. સાંતાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તથા જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય)ની ફરતી ભમતીમાં સત્તાવનમી દેવકુલિકામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીની મનો૨મ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં શ્વેત વર્ણની, નવફણાથી અલંકૃત્ત, પદ્માસનસ્થ શ્રી સૂરજમંડન પાર્શ્વનાથજીની પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. પ્રતિમાજીની ઊંચાઈ ૬૧ ઈંચ અને પહોળાઈ ૪૫ ઈંચની છે.
વિક્રમ સંવત ૧૬૭૯ના કારતક વદ પાંચમના રોજ શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિજીના શુભ હસ્તે આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના પરમ શ્રાવકે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. આ દાનવીર શ્રેષ્ઠીના નામ પરથી સુરતનો આ વિસ્તાર ગોપીપુરાથી ઓળખાય છે. હાથીવાળા દેરાસરના ભોંયરામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ બિરાજે છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી ધર્મનાથ પ્રુ બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૬૬૪ના જેઠ વદ-૫ ના શ્રી હીરવિજય સૂરજી મહારાજાના વરદ હસ્તે કરાઈ હતી.
વિક્રમ સંવત ૧૬૭૫માં ‘હીરવિહાર’ નામના ગુરૂમંદિરમાં શ્રી હીર વિજય સૂરિ તથા શ્રી સેન સૂરિજી મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિએ કરાવી હતી. જેનો લાભ વસ્તુપા સોમજી નામના શ્રાવકે લીધો હતો. અમદાવાદના સુશ્રાવક શાંતિદાસ શેઠે શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુની સમક્ષ ચિંતામણિ મંત્રની આરાધના કરી હતી અને ધન્યતા અનુભવી હતી. હાથીવાળા દેરાસર તરીકે જાણીતા આ જિનાલયમાં બિરાજમાન આ પાર્શ્વનાથનું બીજું નામ
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૪