________________
નાનકડી રૂમમાં રહેતા હતા. જિતેન્દ્રને મહિને મજુરી કામમાં બે હજાર રૂપિયા મળી જતાં. કારખાનેથી છૂટ્યા પછી તે અગરબત્તી વેચવા જતો હતો.
| જિતેન્દ્ર દરરોજ દેરાસરે દર્શન કરવા જતો હતો. તેના ઘરની બાજુમાં જ દેરાસર હતું. | એક દિવસ તેના પિતાએ કહ્યું : “દીકરા, તું સખત મજુરી કરે છે. સવારના સાત વાગ્યાનો નીકળી જાય છે, સાંજે સાત વાગે આવે છે પછી બે કલાક અગરબત્તીનો વેપાર કરવા જાય છે. તેમાં તને રોજના વીસ-પચ્ચીસ રૂપિયા મળે છે... દીકરા, અમે તને વધારે ભણાવી ન શક્યા તેનો રંજ છે. આપણા ભાગ્યમાં પહેલેથી જ ગરીબાઈ લખાયેલી છે. તારા માટે કોઈ વાત આવતી નથી. શું કરવું તેની મને કે તારી માતાને સુઝ પડતી નથી...”
“પિતાજી, ભાગ્યમાં જે લખાયું હોય તેમજ બને છે. માણસે પોતાના કર્મ ભોગવવા જ પડે છે. આપ મારી ચિંતા કરશો નહિ મારે પરણવું ની. તેનું કારણ એ છે કે આપણે મોટું ઘર લઈ શકીએ તેમ નથી. આપણું જીવન આમ જ પસાર થઈ જશે. ગરીબ લોકોના નસીબ પણ ગરીબ જ હોય છે.'
દીકરા, તું એસ.એસ.સી. પાસ થઈ ગયો પછી મારી તબીયત લથડવા લાગી, તેના કારણે મારે ઘેર પડ્યા રહેવાનો વારો આવ્યો અને તારી ભણવાની ઈચ્છાનો અંત આવી ગયો અને નોકરીએ લાગી જવું પડ્યું.' | “પિતાજી, જે હોય તે, સંસારમાં આમજ ચાલ્યા કરે છે. મારે આપને અને માતાજીને ઘણા વખતથી એક વાત કરવાની ઈચ્છા છે જે આજે જણાવી દઉં છું. વાત જાણે એમ છે કે હું દરરોજ દેરાસર દર્શન કરવા જઉં છું ત્યારે પ્રેમચંદભાઈ નામના વડીલ હંમેશા ભેગા થઈ જાય છે. દેરાસરમાં મને અન્ય કોઈ બોલાવતું નથી પરંતુ પ્રેમચંદભાઈ ખુબજ પ્રેમથી બોલાવે છે તેઓ વચ્ચે શંખેશ્વર જઈ આવ્યા હતા. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ મહાપ્રાસાદની ફરતી મતીમાં સત્તાવનમી દેરીમાં શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રતિમાજી અત્યંત મનોહારી અને દર્શનીય છે. તેમણે મને
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
= ૧૨૮