________________
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ખંભાતમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ ખંભાત રેલ્વે સ્ટેશનથી દોઢ કિ.મી. દૂર, વડોદરાથી ખંભાત તીર્થ ૮૦ કિ.મી. ના અંતરે આવેલું છે.
ખંભાત તીર્થની નજીકમાં સોજીત્રા, માતર, ખેડા, કલિકુંડ વગેરે તીર્થો આવેલા છે. ખંભાતમાં ધર્મશાળા-ભોજનશાળાની સુવિધાઓ છે. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય સંઘવીની પોળમાં આવેલું છે. મુંબઈ. સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની દેરીમાં શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય)માં ફરતી ભમતીમાં પત્ની દેવકુલિકામાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
ખંભાતના જિનાલયો ભવ્ય અને દર્શનીય છે. ખંભાતના અન્ય જિનાલયોમાં ખારવાડામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીનું જિનાલય, ઘીટીમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય તથા જીરાળા પાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. સાગોરાપાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. આ બધા પ્રાચીન જિનાલયો છે. ખંભાતના વસ સ્ટેન્ડ પાસે ચોવીસ જિનનું નૂતન જિનાલય છે તેના ભોંયરામાં ૯૬ જિનની પ્રતિમાજીઓ બિરાજમાન છે.
ખંભાતમાં શ્વેતવર્ણ પાષાણના, સાત ફણાથી યુક્ત, પદ્માસનસ્થ શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૨ ઈંચ અને પહોળાઈ ૧૬ ઈંચ છે.
ખંભાત એક સમયમાં ગુજરાતનું મહત્વનું બંદર હતું. ખંભાતનું બંદર બારે માસ વેપા૨-ધંધાથી ધમધમતું રહેતું હતું. આચાર્ય શ્રી અભય દેવ સૂરિશ્વરજી મહારાજે ‘શ્રીજયતિહુઅણસ્તોત્ર' દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી પ્રગટ કરેલી. ચૌદમાં સૈકામાં આ પ્રતિમાજીને ખંભાત
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૧