________________
કરવું તે સુઝતું નથી.” મહેન્દ્રભાઈ બોલ્યા.
‘તમે ભણેલા છો. બી.એડ.ની ડિગ્રી છે તો ક્યાંય શિક્ષકની નોકરી મળી શકે તેમ નથી ?'
“અગાઉ ખૂબ પ્રયત્નો કર્યા હતા. એ નોકરી મેળવવા માટે સાહેબોને માતબર રકમ ચૂકવવી પડે છે. આપણી પાસે એવી રકમ ક્યાં છે?”
એક કામ કરીએ...મને બાજુવાળા રળિયાતબેને કહ્યું કે તમે એકવાર શંખેશ્વર જઈ આવ્યો. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરો પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલય છે તેની ફરતી ભમતીમાં શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દેરી છે તેના દર્શન-વંદન અને સેવા-પૂજા કરવાથી મનોકામના સિદ્ધ થાય છે...”
તો પછી આપણે બે દિવસ પછી જઈ આવીએ...વર્ષોથી યાત્રાપણ ફરી નથી...માત્ર દેરાસરે દર્શન કરવા જઈ શકાય છે...”
એમજ થયું.
બે દિવસ બાદ પતિ-પત્ની અને બન્ને બાળકો ચોટીલાથી શંખેશ્વર ગયા ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન સેવા-પૂજા કર્યા બાદ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં સેવા-પૂજા કરી તથા ભમતીની અઠ્ઠાવનમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા પૂજા કરી અને સંકલ્પ ધારણ કર્યો. શંખેશ્વરમાં એક દિવસ રોકાઈને ચોટીલા પાછા ફર્યા. વિક એક મહિના પછી મહેન્દ્રભાઈને ગામડાની શાળામાં અગાઉ એક અરજી કરી હતી તેનો ઓર્ડર આવ્યો અને શિક્ષક તરીકે જોડાઈ જવાનું આમંત્રણ હતું. મહેન્દ્રભાઈ રાજી રાજી થઈ ગયા. તેઓ બીજા જ દિવસે ચોટીલાની નજીકના ગામડામાં ગયા અને શિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો. તેમને સવારે સાત વાગે હાજર થઈ જવાનું હતું અને બપોરે ૧૨ વાગે છૂટી જવાનું હતું. રૂા. પાંચહજારનો પગાર હતો. પતિ-પત્ની બન્નેને થયું કે અશક્ય ગણાતું કાર્ય શ્રી
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૬