________________
જ પ્રફુલે કહ્યું : “મેં કહ્યું હતું કે તું બરાબર ધ્યાન રાખજે કંઈ વાંધો નહિ હું માઈકમાં જાહેરાત કરાવું છું.'
પ્રફુલભાઈ અને ચંદ્રિકાબેન સ્ટેશ પાસે જઈને જાહેરાત કરાવી. ચંદ્રિકાબેનની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. મગજ બહેર મારી ગયું હતું સ્ટેજ પાસે ઊભા રહેતા એક કલાક થઈ ગયો છતાં દેવેશનો પત્તો નહોતો. ઉના ત્યાં ચંદ્રિકાબેનને સ્મરણ થઈ આવ્યું કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ
ભક્તિ વિહારના જિનાલયની ફરતી ભમતીમાં છપ્પનમી દેરીમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે સંકટ સમયે તેમનું સ્મરણ કરીને કરેલી પ્રાર્થના નિષ્ફ જતી નથી. તરતજ ચંદ્રિકાબેન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનો જાપ કરવા લાગ્યા. | ચંદ્રિકાબેને એક માળાના જાપ કર્યા હશે તયાંજ દેવેશને લઈને કોઈ ભાઈ સ્ટેજ પર આવ્યા. સ્ટેજ પાસે મમ્મી પપ્પાને જોઈને દેવેશ ત્યાં દોડી ગયો અને વળગી પડ્યો...
ચંદ્રિકાબેને પોતાના પુત્રને તેડી લીધો અને ખૂબ વ્હાલ કર્યું. પ્રફુલભાઈએ પેલા ભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો.
આ પછી ત્યાં ઊભા ન રહેતા પ્રફુલભાઈ પત્ની અને પુત્રને લઈને ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી ચંદ્રિકાબેને કહ્યું : “સાંભળો, આપણે શંખેશ્વર જવું પડશે. ત્યાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીના દર્શન - વંદન અને સેવાપૂજા કરવાની છે. તેમની કૃપાથી મેળામાં આપણને આપણો પુત્ર પાછો મળી ગયો છે...”
તો પછી આપણે આવતીકાલે સવારે નીકળી જઈએ. હજુ અમારે બે દિવસની રજા છે. ત્યાં શાંતિથી રહીશું અને પ્રભુ ભક્તિનો લાભ લઈશું.”
એમજ થયું.
બીજે જ દિવસે મુલભાઈ, ચંદ્રિકાબેન તથા દેવેશ શંખેશ્વર જવા નીકળી ગયા. ત્યાં તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ની ધર્મશાળામાં ઉતર્યા. થોડીવાર ધર્મશાળાની રૂમમાં આરામ કરીને પછી પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા માટે ગયા. ત્રણેયે ખૂબજ શાંતિથી સેવા-પૂજા
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૨૨