________________
મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે. ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ઠ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ છે. તેમજ ભવ્ય પ્રવેશ દ્વાર બનાવાયું છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ | જિનાલયની ફરતી ભમતીમાં ચોપનમી દેવકુલિકામાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુજીની તેજોમય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. શ્વેત પાષાણના આ પ્રતિમાજી સતફણાથી મંડિત છે. તેમજ પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
| શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી અંતરમાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે.
મહિમા અપરંપાર
વીરમગામમાં ચુનીલાલભાઈને કાપડનો વેપાર હતો. તેમને ત્યાં આજુબાજુના ગામોના વેપારીઓ માલ ખરીદવા માટે આવતા હતા. ચુનીલાલભાઈ રીટેઈલ અને હોલસેલ કાપડનો વેપાર કરતાં હતા. વેપારી આલમમાં ચુનીલાલભાઈની પ્રતિષ્ઠા ખૂબજ સારી હતી. પ્રમાણિકતા, નિષ્ઠાના કારણે તેમનું માન વેપારીઓમાં જ નહિ પરંતુ સમાજમાં પણ હતું.
એકવાર મુંબઈથી ચુનીલાલભાઈએ કાપડની ગાંસડીઓ મંગાવી. મુંબઈના વેપારીએ ટ્રન્સપોર્ટની રસીદો મોકલી દીધી. ચુનીભાઈને રસીદો મળી ગઈ અને ટ્રાન્સપોર્ટની ઓફિસે ફોન કરીને માલ આવી ગયા અંગેની તપાસ કરી પરંતુ માલ આવ્યો નહોતો.
આમને આમ આઠ દિવસ થઈ ગયા પણ માલના કોઈ ઠેકાણા નહોતા. ચુનીભાઈએ મુંબઈના વેપારીને ફોન પર જણાવ્યું કે માલ મળ્યો નથી. મુંબઈના વેપારીએ જે ટ્રન્સપોર્ટમાં માલ મોકલ્યો હતો ત્યાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે માલ તો તે દિવસે જ રવાના થઈ ગયો છે.
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૭