________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ચંપા પાર્શ્વનાથ
પરમ પાવન શ્રી શંખેશ્વર મહાતીર્થનો મહિમા યુગો યુગોથી ગવાતો રહ્યો છે. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત તેજોમય અને દિવ્ય આભા ધરાવે છે. આ પ્રતિમાજીના દર્શનમાત્રથી હૈયું પુલકિત બની જાય છે. શ્રધ્ધા અને ભક્તિની ગંગા વહેવા લાગે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી દેવી-દેવતાઓએ પૂજી છે.
શંખેશ્વર મહાતીર્થમાં બીજું મહાપ્રભાવક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં યાત્રાળુઓને ઉતરવા માટે અદ્યતન સવલતો ધરાવતી ધર્મશાળાઓ, શુધ્ધ અને સાત્વિક ભોજન પીરસતી ભોજનશાળા, સાધુસાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો, આરાધના ભવન, જ્ઞાન મંદિર વગેરે આવેલા
તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિવરજી મહારાજાની પાવન પ્રેરણાથી આ તીર્થની રચના થઈ છે. પૂ. ગુરૂ ભગવંતોના વરદ હસ્તે વિક્રમ સંવત ૨૦૪૫ની સાલમાં મહાસુદ પાંચમના દિવસે આ જિનાલયનો અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા.
ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪000 ચોરસફૂટ) ધરાવતું આ મહા જિન પ્રાસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થોના પ્રતિમાજીઓ બિરાજમાન છે. જેથી યાત્રિકોને એકી સાથે શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના દર્શન-વંદન અને સેવા-પૂજાનો લાભ મળે છે. આ
મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૬