________________
શ્રી ચંપા પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પાટણ એ જિનાલયોની ભૂમિ છે. પાટણના સાલવીવાડામાં શ્રી ચંપા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ આવેલું છે. પાટણ રેલ્વે અને રસ્તાથી અનેક શહેરો સાથે સંકળાયેલું છે. પાલીતાણાના સમવસરણ મંદિરમાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજે છે.
શ્રી ચંપા પાર્શ્વનાથના જિનાલયો પાટણમાં સાલવીવાડામાં, ગોલવાડ શેરીમાં તથા નારાયણજીના પાડામાં આજે પણ છે. પાટણના દરેક જિનાલયો તીર્થ સમાન છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ચોપનમી દેવકુલિકામાં નયનરમ્ય શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
| જિનાલયોની દિવ્ય નગરી પાટણના સાલવીવાડામાં સપ્તફણાથી વિભૂષિત, શ્વેત પાષાણના શ્રી ચંપા પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. આ મહારાજા સંમતિના સમયના છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચની છે. આ
વિક્રમ સંવત ૮૦૨માં પાટણ નગરી વસાવાઈ. ચાવડા વંશના રાજાઓની રાજધાની તરીકે આ નગરી પ્રસિધ્ધ થઈ. વનરાજ ચાવડાથી સામંતસિંહ સુધી ચાવડા વંશ ચાલ્યો, ત્યાર બાદ ચૌલુક્ય વંશના હાથમાં શાસનની લગામ ગઈ. ચાવડા વંશના જૈન ધર્મના પાલક હતા. તેમના મંત્રી મંડળમાં બહુધા નો હોવાથી જૈન ધર્મનું વર્ચસ્વ અકબંધ રહ્યું હતું.
પાટણના ઈતિહાસમાં ચૌલુક્ય વંશના પહેલા રાજવી ભીમદેવને દંડનાયક વિમલ સાથે ઉત્પન્ન થયેલું કદાચ આ ઘટનાથી જૈનોના અને જૈનોના ધર્મસ્થાનકોના વિકાસમાં કંઈક અંશે ધક્કો પહોંચ્યો હોવાનું તારણ કાઢી શકાય.
ત્યાર પછીના રાજવીઓ કર્ણદેવ, સિધ્ધરાજ, કુમારપાળ વગેરેના શાસનકાળમાં જૈન શાસનનો ધ્વજ ગૌરવભેર ફરકતો રહ્યો. એ સમયમાં જૈનોનું વર્ચસ્વ વધ્યું હતું તેમાં શંકાને સ્થાન નથી.
મહારાજા કુમારપાળના સમયમાં કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૪