________________
જાણ કરી. ઘરના બધા હોસ્પીટલે દોડી આવ્યા. વીણાબેન તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
હોસ્પીટલના ઈન્ચાર્જ ડોક્ટરે કહ્યું : ‘બન્ને મિત્રો બચી ગયા છે પરંતુ ભયમુક્ત નથી. હજુ અડતાલીસ કલાક સુધી સાવચેતી રાખવી પડશે.’ ‘ડોક્ટર સાહેબ, બન્નેને કશું થશે નહિ તેની અમને ખાત્રી છે.’ વીણાબેન
બોલ્યા.
‘એ કેવી રીતે ?’
‘ડોક્ટર, ખાત્રી પાછળ શ્રધ્ધાનો સૂર છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ જિનાલયની ભમતીમાં શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અમને અગાઉ પણ ચમત્કારી પરિણામો મળ્યા છે. એટલે પ્રભુ પ્રત્યેની શ્રધ્ધાના કારણે આમ કહી શકું છું...’ વીણાબેન બોલ્યા.
ડોક્ટર કહે : ‘તમારી વાતમાં સત્ય અને શ્રધ્ધાનો રણકો છે એનું કારણ એ છે કે જ્યારે બન્ને મિત્રોને હોસ્પીટલમાં લવાયા ત્યારે અતિ ગંભીર હાલત હતી. અમારી ડોક્ટરોની પેનલોએ આ બન્ને મિત્રો બચી જશે તેવી આશા જ છોડી દીધી હતી પરંતુ પછી એકાએક બન્નેની તબીયતમાં અણાર્યો સુધારો થવા લાગ્યો. અમારા માટે પણ આ એક ચમત્કારીક ઘટના બની છે. જ્યાં વિજ્ઞાન પુરૂં થાય છે ત્યાંથી આધ્યાત્મિક અર્થાત ધર્મ શરૂ થાય છે...’
વીણાબેન બોલ્યા : ‘આ બન્નેના સમાચાર જેવા અમને મળ્યા કે મેં શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની માળા કરવા માંડી હતી અને હોસ્પીટલમાં આવ્યા પછી પણ મનોમન જાપ ચાલુ રાખ્યા હતા જેનું પરિણામ શુભ જ આવે..તેવો વિશ્વાસ હતો..’
અને આઠ દિવસ બાદ બન્ને મિત્રો ઘેર આવી શક્યા. ટ્રકચાલક રોંગ સાઈડમાં હતો. ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી.
આ તરફ પંદર દિવસ પછી દિનેશ અને પરેશને લઈને સૌ શંખેશ્વર આવ્યા. શંખેશ્વરમાં બે દિવસ રોકાઈને શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભક્તિથી
८८
શ્રી ચમારી પાર્શ્વનાથ