________________
પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત પ.પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિવરજી મહારાજા તથા સ્વ. આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મહારાજા છે. પૂ. ગૂરૂ ભગવંતોના વરદ હસ્તે વિક્રમ સંવત ૨૦૪૫ની સાલમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ સમયે હજારો શ્રાવક – શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બન્યો હતો.
આ મહાજિન પ્રાસાદ ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪૦૦૦ ચોરસ ફૂટ) ધરાવે છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થોના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી આ જિનાલયના દર્શનાર્થે આવતાં યાત્રિકો એકી સાથે શ્રી ૧૦૮ પાર્શ્વ તીર્થના દર્શનનો તથા સેવા-પૂજાનો દિવ્ય લાભ મેળવી શકે છે.
આ ભવ્ય જિનાલયને જોતાં પદ્મસરોવરની ઝાંખી થાય છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે.
ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ટ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થ૨માં નયનરમ્ય ઘાટોના આલેખનથી રાભર દેવકુલિકાઓ છે. તેમજ ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે.
આ જિનાલયમાં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટ ઊંચું છે. તે
શ્રી પાર્શ્વ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમ સ્વામીજી, શ્રી માણિભદ્રવીર, સરસ્વતી માતા, ચક્રેશ્વરી માતાજી, લક્ષ્મીજી, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી દેવી વગેરેની સ્વતંત્ર દેવકુલિકાઓ છે તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિકાષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી પણ આવેલી
છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં ત્રેપનમી દેરીમાં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તેમજ શ્યામ વર્ણના પાષાણની છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
૧૦૦
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ