________________
ૐ અસિઆ ઉસાય નમોનમઃ તું હી ત્રૈલોક્યનો નાથ રે, ચોસઠ ઈન્દ્રો ટોળે મળી, સેવે જોડી પ્રભુને હાથ રે............૩ ૐ હ્રીં શ્રીં પાર્શ્વ પ્રભુજી, મૂળના મંત્રનું એ બીજ રે, પાર્શ્વથી સવિ દુરિત ટળે, આય મિલે સવિ ચીજ રે ......૪ ૐ અજિતા વિજ્યા તથા, અપરા વિજયા જ્યા જ્યા દેવીરે, દશ દિશીપાલ ગ્રહી યક્ષએ, વિદ્યા દેવી પ્રસન્ના હોય સેવી રે....૫ ગોડી પ્રભુ પાસ ચિંતામણી, સ્થંભણો અહે છત્તો દેવ રે, જગવલ્લભ જગમાં તું જાગતો, અંતરિક્ષ વરકાણો કરું સેવરે....૬ શ્રી શંખેશ્વર પુર મંડણો પાર્શ્વજિન પ્રણત તરુ કલ્ચરે, વારજો દુષ્ટના વૃંદને, સુજસ સૌભાગ્ય સુખ કલ્પરે
હે આત્મન, શાંતિ સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા સમાન વ્યાધિ નથી અને દયા સમાન ધર્મ નથી, શાસ્ત્રો અનંત છે વિદ્યા બહુ પ્રકારની છે. પણ આયુષ્ય થોડું છે માટે બધું જ મેળવી લેવાની ઘેલછા છોડી દે. હંસ જેમ જળમાંથી દૂધ ગ્રહણ કરી લે છે તેમ સારરૂપ ગ્રહણ કરીલે અર્થાત પાર્શ્વ ભક્તિ સર્વ સારરૂપ છે.
(૦ પૂ. યશોવિજયજી મહોપાધ્યાય રચિત)
મહિમા અપરંપાર
એ દિવસ મનોજભાઈને ખૂબ જ યાદ રહી ગયો છે. એ દિવસનું ક્યારેક સ્મરણ થઈ જાય તો તેમનું મન ઉદ્વેગ પામી ઉઠે છે.
વાત જાણે એમ બની હતી કે મનોજભાઈને એક પુત્ર હતો તેનું નામ મીહિર. મનોજભાઈ પોતાની પત્ની રેખા અને પુત્ર મીહિરને લઈને ગાંધીનગર ફરવા ગયા હતા ત્યારે ગાંધીનગરના સરસ મજાના બગીચામાં ગયા હતા.
८०
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ