________________
બેસીને રડતો હતો. મને નવાઈ લાગી હું તેની પાસે ગયો. તે પપ્પા-મમ્મી બોલતો હતો....હજુ થોડીવાર પહેલાં જ તેને લઈને હું બહાર નીકળ્યો ત્યાં તમને જોયા. હું તો પોલીસમાં આ બાળકની સોંપણી કરવા જતો હતો. પણ એક વાત કરવાનું મન થાય છે કે તમે બન્ને વાતોમાં એટલા વ્યસ્ત ન બનો કે જેથી તમારું સંતાન ક્ય જાય છે ? શું કરે છે? તેની ભાળ ન રાખવી. આ તમારી બેદરકારી છે. હવેથી ધ્યાન રાખજો...' તેમ કહીને તે માણસ ચાલ્યો ગયો. i બીજે જ દિવસે મનોજ, રેખા અને મીહિર શંખેશ્વર આવ્યા ત્યાં ધર્મશાળામાં ઉતર્યા : પ્રથમ સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં મૂળનાયક અને ભમતીમાં બિરાજમાન શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન કર્યા. બીજે દિવસે બધેય પૂજા કરી, તેમાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા-પૂજા કરી.
ત્યારબાદ શ્રી શંખેસ્વર પાર્શ્વનાથ પ્રભુની પણ પૂજા કરી. સેવાપૂજા કરીને તેઓ ધર્મશાળામાં આવ્યા અને બપોર પછી બસ મળતાં તેઓ મૂળ સ્થાને પાછા આવ્યા. | શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવિકના મનોરથો પૂર્ણ કરે છે.
મંત્ર આરાધના
- ૐ હ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ |
ૐ શ્રીં હ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના દરરોજ સવારે વહેલા ઉઠીને નિશ્ચિત સ્થાને અને સમય પર બેસીને કરવા. રોજ એક માળાતો અવશ્ય કરવી. માળા-જાપ કરતી વખતે ચિત્ત શુધ્ધ રાખવું, મન શાંત રાખવું જરૂરી છે. મંત્ર જાપ વખતે અખંડ ધૂપ-દીપ અને છબી હોવી જરૂરી છે. આ મંત્ર આરાધનાથી સર્વ મનોરથો પૂર્ણ થાય છે.
સંપર્કઃ શ્રી ડોહલાજી પાર્શ્વનાથ શ્વે.મૂ. જૈન સંઘ મુ.પો. ધોતા. (સકલાણાં તીર્થ) તા. મેમદપુર, જિ. પાલનપુર ફોન : (૦૨૭૪૨) ૨૬૨૭૩૧
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ ૮૨