SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ બેસીને રડતો હતો. મને નવાઈ લાગી હું તેની પાસે ગયો. તે પપ્પા-મમ્મી બોલતો હતો....હજુ થોડીવાર પહેલાં જ તેને લઈને હું બહાર નીકળ્યો ત્યાં તમને જોયા. હું તો પોલીસમાં આ બાળકની સોંપણી કરવા જતો હતો. પણ એક વાત કરવાનું મન થાય છે કે તમે બન્ને વાતોમાં એટલા વ્યસ્ત ન બનો કે જેથી તમારું સંતાન ક્ય જાય છે ? શું કરે છે? તેની ભાળ ન રાખવી. આ તમારી બેદરકારી છે. હવેથી ધ્યાન રાખજો...' તેમ કહીને તે માણસ ચાલ્યો ગયો. i બીજે જ દિવસે મનોજ, રેખા અને મીહિર શંખેશ્વર આવ્યા ત્યાં ધર્મશાળામાં ઉતર્યા : પ્રથમ સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં મૂળનાયક અને ભમતીમાં બિરાજમાન શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન કર્યા. બીજે દિવસે બધેય પૂજા કરી, તેમાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા-પૂજા કરી. ત્યારબાદ શ્રી શંખેસ્વર પાર્શ્વનાથ પ્રભુની પણ પૂજા કરી. સેવાપૂજા કરીને તેઓ ધર્મશાળામાં આવ્યા અને બપોર પછી બસ મળતાં તેઓ મૂળ સ્થાને પાછા આવ્યા. | શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવિકના મનોરથો પૂર્ણ કરે છે. મંત્ર આરાધના - ૐ હ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ | ૐ શ્રીં હ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના દરરોજ સવારે વહેલા ઉઠીને નિશ્ચિત સ્થાને અને સમય પર બેસીને કરવા. રોજ એક માળાતો અવશ્ય કરવી. માળા-જાપ કરતી વખતે ચિત્ત શુધ્ધ રાખવું, મન શાંત રાખવું જરૂરી છે. મંત્ર જાપ વખતે અખંડ ધૂપ-દીપ અને છબી હોવી જરૂરી છે. આ મંત્ર આરાધનાથી સર્વ મનોરથો પૂર્ણ થાય છે. સંપર્કઃ શ્રી ડોહલાજી પાર્શ્વનાથ શ્વે.મૂ. જૈન સંઘ મુ.પો. ધોતા. (સકલાણાં તીર્થ) તા. મેમદપુર, જિ. પાલનપુર ફોન : (૦૨૭૪૨) ૨૬૨૭૩૧ શ્રી ડોહલાજી પાર્શ્વનાથ ૮૨
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy