________________
પણ કહેવાય છે. અહીં મૂળનાયક રૂપે શ્રી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
| મધ્ય પ્રદેશમાં શ્રી આહારજી તીર્થ, શ્રી પપોરાજી તીર્થ, શ્રી સોનગિરિ તીર્થ, શ્રી ભુવનજી તીર્થ, શ્રી મક્ષી તીર્થ, શ્રી અવન્તી પાર્શ્વનાથ તીર્થ, શ્રી અલૌકિક પાર્શ્વનાથ તીર્થ, શ્રી બદનાવર તીર્થ, શ્રી ઉન્હેલ તીર્થ, શ્રી બિમ્બદોડ તીર્થ, શ્રી ભોપાવર તીર્થ, શ્રી પરાસલી તીર્થ, શ્રી મોહનખેડા તીર્થ, શ્રી સિધ્ધવરકુટજી તીર્થ, શ્રી માંડવગઢ તીર્થ, શ્રી બાવનગજાજી તીર્થ, શ્રી લક્ષ્મણી તીર્થ, શ્રી તાલનપુર તીર્થ સહિત ના અન્ય તીર્થો આવેલા છે.
ઈંદોરથી ૮૮ કિ.મી. અને ધારથી ૩૫ કિ.મી. ના અંતરે શ્રી અમીઝરા તીર્થ આવેલું છે. લગભગ ૫૦૦ વર્ષ જૂના આ તીર્થસ્થાનમાં આ પ્રતિમાજી માંથી ઘણા સમય સુધી અમીધારા થતી રહેલી છે. ગામનું પ્રાચીન નામ કુંદનપુર હતું હાલમાં અમીઝરા નામ છે. અહીં મૂળનાયક રૂપે શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
મધ્ય પ્રદેશના ધાર જીલ્લામાં બદનાવરની બાજુમાં શ્રી વર્ધમાનપુર ગામની નજીક શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. આ તીર્થમાં શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની પાસનસ્થ પ્રતિમાજી છે આ પ્રતિમાજી ૨૭ ઈંચ ઊંચી છે. આ તીર્થમાં મોટી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. યાત્રિકોને ચમત્કારના અનુભવ થતાં હોય આ તીર્થની પ્રસિધ્ધિ શ્રી ચમત્કારી પાર્શ્વનાથ તરીકે થઈ છે. કોઈપણ યાત્રિક આ તીર્થના દર્શનાર્થે જાય છે તેને કંઈક ને કંઈક ચમત્કારનો અનુભવ થાય છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન
પથ્થરને પારસ કરનારા, કથીરને કાંચન કરનારા
પ્યારા પારસનાથ
શ્રી ચમત્કરી પાર્શ્વનાથ
.