________________
| મનોજભાઈ અને રેખા વાતો કરી રહ્યાં હતા ત્યારે પાંચ વર્ષનો મીહિર રમતાં રમતાં આગળ નીકળી ગયો પછી તે કંઈ તરફ ગયો તેની મનોજ કે રેખાને ખબર ન રહી.
મનોજ અને રેખાનું ચિત્ત ગભરાઈ ગયું. બન્ને ખૂબ ચિંતામાં પડી ગયા. બન્ને હાંફળા ફાંફળા બની ગયા પોતાના સંતાનની તપાસ અહીં કરે, બીજે કરે પણ મીહિરનો પત્તો ન લાગ્યો.
દોઢ કલાક થઈ પણ મીહિર ક્યાં ગાયબ થઈ ગયો તેની ખબર જ ન પડી. મનોજ - રેખા બધાને પૂછતાં હતા કે પાંચ વર્ષના બાળકને જોયું છે? ત્યાં ઊભેલા રેંકડીવાળાઓને પણ પૂછયું પણ કોઈને કશી ખબર ન હતી.
રેખાની આંખોતો રડી રડીને સુઝી ગઈ. અને બોલતી હતી: “મારા મીહિરને કોઈ લાવી દો...મારો મીહિર ક્યાં હશે ?'
ત્યાં મનોજભાઈને શંખેશ્વર તીર્થનું સ્મરણ થઈ આવ્યું. તેમના માનસપટ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ છવાઈ ગયું તેમાંય શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દેખાયા. તેમણે મનોમન પ્રાર્થના કરી છે ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુ, મારો પુત્ર મળી જશે તો હું તરત જ આપના દર્શનાર્થે લઈ આવીશે..... | મનોજ હજુ પ્રાર્થના કરે છે ત્યાંજ સામેથી એક ભાઈ મીહિરને તેડીને આવતા હતા.. | મનોજે તે ભાઈને રોક્યા અને કહ્યું : “ભાઈ, આ તો મારો પુત્ર મીહિર છે અમે બે કલાકથી તેને શોધવા આકાશ પાતાળ એક કર્યા છે. મારી પત્નીના આંખો રડી રડીને સુઝી ગઈ છે. તમને મારું બાળક ક્યાંથી મળ્યું?”
‘ભાઈ, હવે તમે શાંતિ રાખો....' તે રાહગીરે કહ્યું. | મીહિર તરત જ તેની મમ્મી પાસે ગયો અને ગળે વળગી પડ્યો. “મારા દીકરા, તું ક્યાં ચાલ્યો ગયો હતો...!' રેખાએ તેના વ્હાલા પુત્રને ખૂબજ વ્હાલ
કર્યું.
પેલા ભાઈએ મનોજને કહ્યું: ‘તમારો પુત્ર સામેના ભાગમાં એક જગ્યાએ
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
૮૧