________________
શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે થઈ.
વિક્રમ સંવત ૧૩૧૧ માં આચાર્ય ભગવંત શ્રી ધર્મ ઘોષસૂરિશ્વરજી મહારાજા આદિ ૨૦ સૂરિ મહારાજાઓની મંગલ નિશ્રામાં માડવગઢના મહામંત્રી પેથડ શાહના પુત્ર ઝાંઝણ શાહ વિશાળ સંઘ સાથે આ તીર્થમાં આવ્યા હતા. અહીં સંઘપતિને તિલક કરવામાં આવ્યું હતું. એ સમયે જિનાલયનો જીર્ણોધ્ધાર ઝાંઝણ શાહે કરાવ્યો અને સાત માળના ભવ્ય જિનાલયનું નિર્માણ ઝાંઝણ શાહે કરાવ્યું હતું. જ ત્યાર પછી સંવત ૧૬૫૬માં આ તીર્થનો પુનઃ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો ત્યારે જિનાલયની પૂર્વ દિશાની દીવાલમાં એક છિદ્ર વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું. જેથી શ્રી પાર્શ્વ પ્રભુના જન્મ કલ્યાણકના દિવસે સૂર્યના તેજસ્વી કિરણો પ્રભુના દેહને સ્પર્શ કરતાં, ત્યાર પછી પુનઃ જીર્ણોધ્ધાર થતાં વર્તમાનમાં તે મુજબ કિરણો
સ્પર્શતા નથી. મુસ્લિમ આક્રમણોને ખાળવા માટે જિનાલયનો ઉપરનો ભાગ મજીદ આકારનો બનાવાયો હતો.
તાજેતરમાં આ પ્રાચીન અને ગૌરવવંતા જિનાલયનો જીણોધ્ધાર વિક્રમ સંવત ૨૦૩૩માં આચાર્ય ભગવંત શ્રી સુશીલસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ગામના નામ પરથી આ પાર્થ પ્રભુ ‘કરેડા, ‘કરોડા' કે “કરકેટક” ના નામથી જાણવામાં આવે છે. પ્રતિમાજી અત્યંત દર્શનીય છે, પ્રભાવક છે. દર્શન કરવાથી હૈયામાં ભક્તિના ભાવ ઝણહણી ઊઠે છે.
સંપર્ક :- શ્રી કરેડા પાર્શ્વનાથજી જૈન મૂર્તિપૂજક તીર્થ, મુ.પો. પાલસાગર, જી. ચિત્તોડગઢ - ૩૧૨૨૦૪ (રાજસ્થાન).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી કરેડાજી પાર્શ્વનાથ
શંખેશ્વર તીર્થ સર્વ લોકોની શ્રધ્ધાનું પરમધામ છે. આ સ્થળ અત્યંત પવિત્ર
શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ
૭૨