________________
જતાં. જયંતીભાઈ મૂળ ધોરાજીના હતા. ધોરાજીમાં તેમનું મકાન પણ હતું. તેઓને દેશમાં આવવાનું ઓછું બનતું, કારણકે તેમને વ્યવસાય ઓટોમોબાઈલ્સનો હતો. તેમની દુકાન પણ બાજુમાં હતી. છેલ્લા એક વર્ષથી વેપાર ઠપ્પ થઈ ગયો હતો. આથી જયંતીલાલ અને દીપકને ચિંતા ઘેરી વળી હતી કે ધંધો ચાલતો નથી હવે શું કરવું? ઓટોમોબાઈલ્સના મોટા ભાગના વેપારીઓ કાત્રજ ચાલ્યા ગયા હતા, ટ્રાન્સપોર્ટ નગર ત્યાં ઊભું થતું હતું તે કારણે આ વિસ્તારના વેપારીઓએ સમય સૂચકતા વાપરીને કાત્રજ દુકાનો લઈને વેપાર કરવા લાગ્યા હતા. આ દોડમાં જયંતીલાલ દોડી ન શક્યા અને તેઓ મૂળ જગ્યાએ જ રહેવું ઉચિત માન્યું હતું. જયંતીલાલ હવે ત્યાં જવાનું વિચારે તો દુકાન લેવા માટે માતબર રકમ ખરચવી પડે તેમ હતી. બીજા પણ ઘણા પ્રશ્નો હતા.. ' પોતાની દુકાન ચાલતી ન હોવાથી જયંતીલાલ ભારે મુંઝવણ અનુભવતા હતા. ક્યારેક તો દસ રૂપિયાનો પણ વેપાર થતો નહોતો. તેમણે આવા દિવસો ક્યારેય કાત્યા નહોતા. વચ્ચે તેમણે દેશમાં જવાનું વિચાર્યું પણ ત્યાં જઈને શું કરવું? એટલું જ નહિ પણ પુત્ર અને પુત્રવધુ પણ એ માટે સહમત નહોતા.
એક દિવસ જયંતીલાલ અને રસીલાબેન સેવાપૂજા માટે શ્રી આદિનાથ જિનાલયે આવ્યા ત્યારે ત્યાં તેમને મુંબઈના એક વેપારી ભીખાચંદ શેઠનો ભેટો થયો. અગાઉ જયંતીલાલ તેમની પાસેથી માલ મંગાવતા હતા. ભીખાચંદ શેઠ ઘણા સમય પછી પુના આવ્યા હતા. આ
જયંતીલાલ ભીખાચંદ શેઠને જોઈને આનંદ પામ્યા, બન્ને મળ્યા.
ભીખાચંદ શેઠે કહ્યું: “જયંતીભાઈ, કેમ છો? હમણાં તો તમે માલ મંગાવતા નથી? શું વાત છે?'
શેઠ, શું વાત કરું? હમણાં ધંધો ઠપ્પ થઈ ગયો છે.
ટ્રાન્સપોર્ટવાળા બધા કાત્રજ ચાલ્યા ગયા છે અહીં માત્ર બે-ત્રણ વેપારીઓ છે. ધંધો ચાલતો નથી. મને ભારે મુંઝવણ થઈ રહી છે.
જયંતીલાલાઈ, તમે એક કામ કરો...તમે અને ભાભી દેશમાં જાઓ અને 5 સીધા શંખેશ્વર જજો. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ