________________
પડ્યો નહોતો. ત્યારે મોટા સર્જનને બતાવ્યું. સર્જને બધા રીપોર્ટ, એકસરે કઢાવ્યા ત્યારે નિદાન થયું કે લેરીગ્સ-વોક્સબોક્ષ પર કેન્સરની ગાંઠ છે. ડોક્ટરે સલાહ આપી કે ઓપરેશન દ્વારા વોકલ બોક્ષ (સ્વરપેટી) કાઢવી પડશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ઘ૨માં સૌ ચિંતામાં પડી ગયા. તરત જ વધુ તપાસ અને સારવાર માટે જયંતીભાઈ અને તેના પરિવારના સભ્યો મુંબઈ આવ્યા અને જયંતીભાઈને મુંબઈની જાણીતી હોસ્પીટલ ટાટા કેન્સર નિદાન ઈન્સ્ટીટ્યુટમાં લઈ ગયા.
તે વખતે બોરીવલીમાં જયંતીભાઈના નજીકના સ્નેહીએ પરિવારના સભ્યોને જણાવેલું તમે ટાટામાં બતાવી આવો પરંતુ મારી એક વિનંતી છે.’
‘શું... ?’ પરિવારના સભ્યે કહ્યું.
‘શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર છે ત્યાંની ફરતી ભમતીમાં તેતાલીસમી દેરીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. તમે લોકો સંકલ્પ કરો કે જયંતીભાઈને સારૂં થઈ જશે અને ઓપરેશન ન કરાવવું પડે તો અમે દર્શનાર્થે આવશું.’
જયંતીભાઈના પત્ની રમાબેને સંકલ્પ કર્યો. આ સંકલ્પ પછી જ જયંતીભાઈને ટાટા ઈન્સ્ટીટ્યુટમાં લઈ ગયા હતા. ટાટા કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં તમામ પ્રકારના ટેસ્ટ લેવાયા અને છેવટે નિદાન થયું કે વોકલ બોક્સ કઢાવવું નહિ પડે. પણ ઓપરેશન કરવું પડશે.
૨માબેન અને પરિવારના અન્ય સભ્યો આ જાણીને ખૂબજ રાજી થઈ ગયા. ત્યાંના સર્જનોએ દવા લખી આપી.
ત્યાર પછી બે-ચાર દિવસ રોકાઈને જયંતીભાઈનો પરિવાર અમદાવાદ પાછો ફર્યો.
જયંતીભાઈને બોલવામાં તકલીફ પડતી હતી જયંતીભાઈનું ઓપરેશન અમદાવાદની જાણીતી હોસ્પીટલમાં કરાયું પણ વોકલ બોક્સ બચાવી લેવાયું હતું. ઓપરેશન અમદાવાદ જ કરવું તેવો જયંતીભાઈનો નિર્ણય હતો. આથી ઓપરેશન મુંબઈના બદલે અમદાવાદ કરાયું હતું.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૫