________________
[332
રાજાઓની રાજધાની હતી. કહેવાય છે કે આ નગરી શ્રેણિક મહારાજાને પહેરામણીમાં મળી હતી.
અહીં કાશી વિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર હિંદુઓની યાત્રાનું પરમ પવિત્ર ધામ છે. મુસ્લિમ આક્રમણોના સમયમાં અનેક જૈન, બૌધ્ધ અને શિવમંદિરો મજીદમાં બદલાયા હતા. આ નગર સંસ્કૃત્ત વિદ્યાનું મહત્વનું ધામ આજે પણ છે. દર્શનશાસ્ત્ર, વ્યાકરણ, જ્યોતિષ, આયુર્વેદ વગેરે સહિત પ્રાચીન વિદ્યા પરંપરાનો વારસો ટકાવી રાખનારા પંડિતો, વિદ્વાનો આજે પણ મોટી સંખ્યામાં વસે છે. -
અહીં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય સંગીતના કલાકારો વસે છે. ભગવાન પાર્શ્વનાથના ચાર કલ્યાણકોનું એકમાત્ર યાદગાર સ્મારક સ્થાન ભેલપુરમાં છે. વારાણસીમાં જ શ્રી પાર્શ્વકુમારે કમઠયોગીના યજ્ઞમાંથી બળતા સર્પને બહાર કઢાવ્યો હતો. અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવીને તેને ધરણેન્દ્રપદ સુધી પહોંચાડ્યો
હતો.
આવી પાવન ભૂમિની સ્પર્શનાથી જીવન ધન્ય બની ઊઠે છે. ભેલપુરમાં ધર્મશાળાની વચ્ચે જ ધાબાબંધી જૈન મંદિર અનુપમ અને દર્શનીય છે. ઊંચી બેઠકની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ગાદીનશીન થયેલા છે. અહીંના પાર્શ્વનાથ પ્રભુને “શ્રી કાશી પાર્શ્વનાથ અથવા તો શ્રી વારાણસી પાર્શ્વનાથ' ના નામથી ઓળખાય છે.
| ‘વિવિધ તીર્થકલ્પ' ની રચના આચાર્ય ભગવંત શ્રી જિનપ્રભસૂરિશ્વરજી મહારાજાએ ૧૪માં સૈકામાં કરી હતી. તેમાં વારાણસી નગરી ચાર વિભાગમાં વહેંચાયેલી બતાવાઈ છે.
આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોએ પોતાની પ્રાચીન રચનાઓમાં શ્રી કાશી(વારાણસી) પાર્શ્વનાથને જુહાર્યા છે. '
સંપર્ક : શ્રી વારાણસી (કાશી) પાર્શ્વનાથ શ્વેતાંબર જૈનતીર્થ, શ્રી જૈન શ્વે. તીર્થ સોસાયટી, બી-૨૦/૪૬, ભેલપુર, વારાણસી (ઉત્તરપ્રદેશ).
શ્રી વારાણસી પાર્શ્વનાથ
Us