________________
તો જ મારો અભ્યાસ આગળ ચાલી શકે.'
બેટા, તારી વાત સાચી છે પરંતુ તે જોજે આઠ દિવસમાં કોઈને કોઈ મદદ મળી જવાની છે અને તારું કામ પતી જવાનું છે એની મને શ્રદ્ધા છે. એમાંય વધારે શ્રધ્ધા તો સતફણા પાર્શ્વનાથ દાદા પ્રત્યે છે.”
મનીષાએ કશો ઉત્તર ન આપ્યો.
ચાર દિવસ પસાર થઈ ગયા. મનીષાનો પ્રશ્ન એમ ને એમ હતો. પાંચમાં દિવસે શૈલેષભાઈને મળવા તેમના વર્ષો જૂના મિત્ર પ્રવિણભાઈ આવ્યા. તેઓ અમદાવાદના એક જાણીતા અખબારમાં સીનીયર પત્રકાર હતા. તેમની પહોંચ ખૂબ હતી.
| શૈલેષભાઈએ પ્રવિણભાઈનું સ્વાગતકર્યું. અને કહ્યું: ‘પ્રવિણભાઈ, કેટલા વર્ષો પછી તમે દેખાયા છો ? આપણે એક રૂમમાં સાથે અભ્યાસ કર્યો હતો. એ દિવસો કેવા સરસ હતા ?',
હા...શૈલેષભાઈ, તમે સરકારી નોકરીમાં લાગી ગયા અને હું અખબારમાં જોડાયો...સમયને જતાં શી વાર લાગે છે?”
બન્ને મિત્રો વાતોએ વળગ્યા.
ત્યાં મનીષાની વાત નીકળી. શૈલેષભાઈ બોલ્યા : “જુઓને, મનીષાએ ટી.વીય.બાયો ટેકનોલોજીની પરીક્ષા આપી અને રીઝલ્ટ આવ્યું તો ચોપન ટકા આવ્યા. તેને એમ.એસ.સી. કરવું છે. પરંતુ તેમાં પંચાવન ટકા હોય તો જ પ્રવેશ મળી શકે. હવે કરવું તેની અમને ભારે મુંઝવણ છે.” - “અરે...શૈલેષભાઈ, તમે શું મુંઝાઈ ગયા...! અમે બેઠાં છીએને તમારું કામ કરવા... કઈ કોલેજમાં પ્રવેશ લેવાનો છે ?'
ત્યારે મનીષા ત્યાં જ બેઠી હતી તેણી બોલી : “અંકલ, હું જયાં અભ્યાસ કરતી હતી ત્યાં જ આ કોર્ષ ચાલે છે...એમ કહીને તેણીએ કોલેજનું નામ, પ્રિન્સીપાલનું નામ તથા ફોન નંબર આપ્યા.
( પ્રવિણભાઈ બોલ્યા : ‘તમારું કામ પતી ગયું સમજો ... આ પ્રિન્સીપાલ S તો મારો મિત્ર છે... લાવો હું અત્યારે જ તેની સાથે વાત કરી લઉં...”
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
૬૧