________________
શ્રી લોઢણજી પાર્શ્વનાથ ગુજરાતના વડોદરા જિલ્લામાં ડભોઈ ખાતે શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. વડોદરાથી ડભોઈનો માર્ગ ૩૨ કિ.મી.નો છે. ડભોઈમાં અનેક જિનાલયો, ધર્મશાળા, ભોજનશાળા, આયંબીલ ભવન, જ્ઞાન ભંડારો આવેલા છે.
મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી લોઢણ પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં અડતાલીસમી દેવકુલિકામાં શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન
ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામ વર્ણની છે. સપ્તફણાથી અલંકૃત, અર્ધ પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૪૧ ઈંચ અને પહોળાઈ ૩૩ ઈંચની છે.
લગભગ ૬૦૦ વર્ષ પહેલાંની વાત છે.
સાગરદત્ત નામનો એક વેપારી પોઠોમાં ચીજ વસ્તુઓ ભરીને વિચરતો વિચરતો દર્શાવતી નગરીમાં આવ્યો.
સાગરેદત્ત વ્રતધારી શ્રાવક હતો અને ચોમાસાના દિવસો શરૂ થવાના હોવાથી તેણે દર્ભાવતીમાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું.
સાગરદત્તને એક પ્રતિજ્ઞા હતી કે પરમાત્માની પૂજા થયા પછી જ ભોજન ગ્રહણ કરવું. આ વ્રતપાલન માટે તેણે માતાના કહેવાથી વેળુની મનોરમ્ય પ્રતિમાજીનું નિર્માણ કર્યું. અને પોતાના ઘરમાં પધરાવી.
સાગરદત્ત અનેરા ધર્મોલ્લાસ સાથે આ પ્રતિમાજીની સેવા-પૂજા કરતો.
ચોમાસાના ચાર મહિના પૂર્ણ થતાં તે પોતાના વતન તરફ જવા તૈયાર થયો, ત્યારે તેણે આ પ્રતિમાજી નગરીની મધ્યમાં આવેલા એક કૂવામાં પધરાવી. ત્યારબાદ તે પોતાના વતનમાં ચાલ્યો ગયો.
બે-ત્રણ વર્ષ બાદ ફરીને સાગરદત્તને દર્ભાવતી તરફ આવવાનું થયું, ત્યારે
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૬૪