________________
હતી.
મનીષાએ છેલ્લા વર્ષમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તનતોડ મહેનત કરી પરંતુ જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે ચોપન ટકા ગુણ આવ્યા. તે ભારે નિરાશ થઈ ગઈ કારણ કે એમ.એસ.સી. માટે પંચાવન ટકા જરૂરી હતા. પંચાવન ટકા વિના એમ.એસ.સી.માં પ્રવેશ મળે તેમ નહોતો.
મનીષા કોલેજમાં ગઈ ત્યારે કોલેજના પ્રિન્સીપાલે સ્પષ્ટ જણાવી દીધું કે પેમેન્ટ કે જનરલમાં પણ પ્રવેશ મળી શકે તેમ નથી.
મનીષાએ તે દિવસે પોતાના મમ્મી-પપ્પાને કહ્યું : ‘પપ્પા, મને એમ.એસ.સી. બાયોટેકનોલોજીમાં પ્રવેશ મળી શકે તેમ નથી... મેં ત્રણ વર્ષ બાયોટેકનોલોજીમાં અભ્યાસ કર્યો છે મને આ ફેકલ્ટીમાં પ્રવેશ નહિ મળે તો અભ્યાસ ક૨વાનો કોઈ અર્થ નથી.’
‘બેટા, મને આમાં કશી ખબર ન પડે...શું કરવું જોઈએ તે મને જણાવ. . .' ‘કોલેજવાળા મારૂં ફોર્મ સ્વીકારવા જ તૈયાર થતાં નથી...' મનીષા ૨ડી
પડી...
‘બેટા, તું રડીશ નહિ...હું જરૂર કોઈ રસ્તો શોધીશ..' શૈલેષભાઈ બોલ્યા. ત્યાં સગુણાબેને કહ્યું : ‘બેટા, જ્યારે કોઈ વિપદા આવે છે ત્યારે મેં શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી સપ્તફણા પાર્શ્વનાથ ને યાદ કર્યાં છે અને ગમે તેવા સંકટો દૂર થયા છે. આજે જ હું તારા માટે પ્રાર્થના કરીશ. તને એડમીશન મળી જાય પછી આપણે સૌ શંખેશ્વર જઈશું અને શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરીશું.
એ દિવસે સગુણાબેને અનેરી શ્રધ્ધા સાથે શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુને પોતાની પુત્રીના પ્રશ્ન માટે પ્રાર્થના કરી અને સંકલ્પ પૂરો થયે શંખેશ્વર દર્શનાર્થે આવી જવાનું મનોમન નક્કી કર્યું.
સગુણાબેને મનીષાને કહ્યું : ‘દીકરી, હવેતું જરાય મુંઝાઈશ નહિ. મેં પ્રાર્થના કરી છે એટલે તારો પ્રશ્ન ઉકેલાઈ જશે.’
‘મમ્મી, પ્રથમ તો મારૂં ફોર્મ કોલેજમાં સ્વીકારે પછી યુનિવર્સિટી મંજુર કરે
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
૬૦