________________
સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવતું છે.
અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી મણિભદ્રવીર, સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી માતાજી, અંબિકા માતાજી, ચક્રેશ્વરી માતાજી દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાનસૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં સુડતાલીસમી દેવકુલિકામાં શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં અવર્ણનીય આનંદ પ્રગટ્યા વગર ન રહે તેવી પ્રતિમાજી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી સતફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની પદ્માસનસ્થ છે. તેમજ આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
ગાંધીનગરમાં શૈલેષભાઈ ગાંધીનો પરિવાર રહે. શૈલેષભાઈ ગાંધીનગરના સચિવાલયમાં નોકરી કરે... શૈલેષભાઈના પત્ની સગુણબેન ગૃહિણીની ફરજો બજાવતાં હતા. શૈલેષભાઈને એક પુત્રી મનીષા હતી. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતી. ભણવામાં હોશિયાર હોવા છતાં તે રમતીયાળ પણ ખૂબ હતી. માતાપિતાની એકની એક પુત્રી હોવાથી ભારે લાડકોડમાં ઉછરી હતી. આ
| મનીષા બાયોટેકનોલોજી ફેકલ્ટીમાં હતી. બાયોટેકનોલોજીનો અભ્યાસક્રમ અઘરો હતો પરંતુ ભવિષ્યમાં આ શિક્ષણ માટે અનેરી તકો છૂપાયેલી હોવાથી મનીષાએ ધોરણ ૧૨ પછી સાયન્સ કોલેજમાં બાયોટેકનોલોજી ફેકલ્ટી પસંદ કરી
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
• ૫૯