________________
“એ અશક્ય છે....” નીતિનભાઈ બોલ્યા. ‘એનો ઉપાય હું બતાવું છું.' રાધિકાએ કહ્યું. શું ઉપાય છે?
જુઓ, તમે સાણંદ જાઓ તે પહેલાં શંખેશ્વર જાઓ. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારનું ભવ્ય જિનાલય છે. આ જિનાલયમાં ૧૦૮ પાર્શ્વનાથ તીર્થોના પાર્થ પ્રભુ બિરાજે છે. તેમાં છેતાલીસમી દેરીમાં શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ દેરી પાસે આવીને ભાવથી વંદન કરીને મનમાં સંકલ્પ ધારજો કે મારી બદલી સુરત થઈ જાય તો હું પરિવાર સાથે દર્શનાર્થે આવીશ.” આવો સંકલ્પ ધારણ કરી લેશો પછી જોજો કેવો ચમત્કાર સર્જાય છે...!”
પણ આમ બને ખરું !'
‘એનું નામ જ ચમત્કાર છે. દાદાની કૃપાથી બધું જ બની શકે છે... આપણી બાજુમાં રહેતા પ્રકાશભાઈને કંઈક વિઘ્ન આવ્યું હતું ત્યારે તેમણે વિપ્ન દૂર કરવા માટે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી હતી અને પંદર દિવસમાં તે વિઘ્ન દૂર થઈ ગયું હતું... ત્યારથી મને પણ શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે શ્રધ્ધા વધી ગઈ છે.
| ‘ભલે...તારી ઈચ્છા છે તો હું જરૂર શંખેશ્વર જઈશ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયે, સંકલ્પ પુરી શ્રધ્ધાથી શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ દર્શાવીશ....'
નીતિનભાઈ બે દિવસ સુરત રોકાઈને સીધા શંખેશ્વર ગયા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા અને ભવ્ય જિનાલય જોઈને નીતિનભાઈનું મન અતિ પ્રસન્નતા અનુભવ્યું.
નીતિનભાઈએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા બીજે દિવસે સવારે સેવા-પૂજા કરીને શ્રી કાશી પાર્શ્વનાથ ની અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા
શ્રી વારાણસી પાર્શ્વનાથ