________________
કરી અને સંકલ્પ ધારણ કર્યો.
tho1315
નીતિનભાઈ સેવા-પૂજા કરીને પછી ધર્મશાળામાં આવ્યા વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં ભોજન અર્થે ગયા. ધર્મશાળાની રૂમમાં થોડીવાર આરામ કરીને બપોરે ચાર વાગ્યાની બસમાં વીરમગામ આવ્યા અને ત્યાંથી સાણંદ જવાની બસ પકડી. સાણંદ પહોંચીને ભાડે રાખેલી રૂમ પર આવી ગયા. બીજા દિવસથી ફરજ પર બેંકમાં હાજર થઈ ગયા.
આમને આમ એક મહિનો પસાર થઈ ગયો. બદલી માટેની કોઈ કાર્યવાહી આગળ વધતી નહોતી. નીતિનભાઈને શ્રધ્ધા બેસી ગઈ હતી કે મારી બદલીનો ઓર્ડર આવશેજ. અને થયું એવું જ.
બીજું અઠવાડિયું પસાર થયું ત્યારે બેન્કના મેનેજરે નીતિનભાઈને બોલાવીને કહ્યું : ‘નીતિનભાઈ, તમારી સુરત બદલી કરવામાં આવી છે. હવે તો સંતોષ ને! તમારી બદલીની કોઈ શક્યતા જ નહોતી છતાં અશક્ય કાર્ય શક્ય બન્યું છે. સુરતના એક કર્મચારી સાણંદ આવી રહ્યાં છે. તેમનું અમદાવાદ નેટીવ છે તેથી તેમને અહીં મૂક્યા છે. ૫૨મ દિવસે સુરત પહોંચી જવાનું છે.'
નીતિનભાઈના શંખેશ્વરથી જ સીધા સુરત જવા નીકળી ગયા. સુરતમાં ઘેર આવ્યા પછી પરિવારના બધા સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો. માતાપિતા, પત્ની અને પુત્રના આનંદનો પાર નહોતો...બીજે દિવસે સુરત બેંકમાં નીતિનભાઈએ ચાર્જ સંભાળી લીધો. એ અઠવાડિયાના રવિવારે સપરિવાર નીતિનભાઈ શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુને દર્શન-વંદન, સેવાપૂજા કરી, એક દિવસ રોકાઈને સુરત પાછા ફર્યાં.
૫૫
શ્રી વારાણસી પાર્શ્વનાથ