________________
માંગરોળ, ખંભાત, તારંગા સહિત અન્ય સ્થળોએ “કુમારવિહાર' નામના જિનાલયો ના નિર્માણ કરાવ્યા હતા.
રાજ રાજેશ્વર કુમારપાળ અને તેનો યુગ, વસ્તુતઃ ભારતીય ઈતિહાસમાં સુવર્ણાક્ષરોમાં અંકિત કરવા યોગ્ય છે.
તે પ્રમાણે પેથડશા મહામંત્રીએ આચાર્ય ભગવંત શ્રી વિજય ધર્મઘોષસૂરિજી મહારાજના ઉપદેશથી ૮૪ જિનાલયો બંધાવ્યા હતા. તેમણે માંગરોળમાં પણ એક ભવ્ય જિનાલય બંધાવ્યું હતું.
શ્રી સમય સુંદર ઉપાધ્યાયે પોતાની રચના “શ્રી નવપલ્લવ ભાસ' માં જણાવેલ છે કે પૂર્વે આ પ્રતિમાજી વલ્લભીપુરમાં બિરાજમાન હતી. વલ્લભીપુરનો નાશ થતાં ત્યાંના જિનાલયોની પ્રતિમાજીઓને ભિન્ન જગ્યાએ લઈ જવામાં આવી હતી. ત્યારે શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને માંગરોળ લઈ જવામાં આવેલા. જ્યારે આ પ્રતિમાજી વલ્લભીપુરથી માંગરોળ લઈ જવામાં આવતી હતી ત્યારે પ્રતિમાજીની બે આંગળીઓ ખંડિત થઈ, ત્યારે એક ચમત્કાર સર્જાયો. તરત જ તે ખંડિત થયેલી બન્ને આંગળીઓ પુનઃ હતી તેવી થઈ ગઈ. અર્થાત તે અંગુલિઓ નવપલ્લિત થઈ જતાં આ દિવ્ય પ્રભાવ જોતાં ભાવિકોએ આ પ્રભુજીને
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ' ના નામથી નવાજ્યા. | ‘શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ' ના ઉલ્લેખો આચાર્ય ભગવંતો, કવિઓની રચનાઓમાં જોવા મળે છે. એથી આ તીર્થસ્થળ ઘણું પ્રાચીન હોવાનું મનાય છે.
સંપર્ક : શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ, કંપાણી ફળિયા, મુ. માંગરોળ (જી. જૂનાગઢ), સૌરાષ્ટ્ર
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
પરમ પાવન તીર્થ શંખેશ્વર સમસ્ત જૈનોનું પુણ્યવંતુ તીર્થધામ છે. શ્રી
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૩