________________
કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રસાદ છે. કલાત્મક પ્રવેશદ્વાર છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ચુમાલીસમી દેરીમાં શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્વેત પાષાણની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. શ્રી ઘીયા પાર્શ્વનાથની ભક્તિ કરવાથી સર્વ મનો૨થો પૂર્ણ થાય છે.
મહિમા અપરંપાર
જામનગરના સુશ્રાવક પ્રશાંતભાઈને શંખેશ્વરમાં આવેલા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહા૨ જિનાલયની ફરતી ભમતીમાં ચુમાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેઓ અવારનવા૨ શંખેશ્વર જતાં અને શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતરતા અને બે દિવસ રોકાઈને સેવાપૂજાનો અનન્ય લાભ લેતા હતા.
પ્રશાંતભાઈ જામનગર હતા ત્યારે એક દિવસ તેમની પુત્રીને આંખનું ઓપરેશન ક૨વાનું નક્કી થયું. તેઓ ભારે ચિંતામાં પડી ગયા. પોતાની પુત્રીને આંખમાં મુશ્કેલી તો આવશે નહિને....તેમની પુત્રી દીપા માત્ર બાર વર્ષની હતી. ભણવામાં તે ખૂબજ હોશિયાર હતી.
પ્રશાંતભાઈ અને તેમની પત્ની રંજનબેન ડોક્ટરની સૂચના મૂજબ પુત્રી દીપાને હોસ્પીટલમાં દાખલ કરી.
રંજનબેને કહ્યું : ‘મને તો ભારે ચિંતા થાય છે. આપણી પુત્રીને કશું થશે નહિ ને ?’
‘રંજન, શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુના જાપ મનમાં કરતી રહેજે....બધા સારાવાનાં થઈ જશે. મને પૂરી શ્રધ્ધા છેકે કશું નહિ થાય. શ્રી ઘીયા પાર્શ્વનાથ પર બધું છોડી દે... દીકરીને સારૂં થઈ જાય કે આપણે શંખેશ્વર જઈ આવીશું.' પ્રશાંતભાઈના નજીકના સ્નેહીઓ અને મિત્રો બીજે દિવસે દીપાના આંખના
શ્રી ઘીયા પાર્શ્વનાથ
३८