________________
અને બીજે દિવસે સવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરીને જામનગર જવા વિદાય થયા. શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની આરાધના જીવનને મંગલમય બનાવે છે.
મંત્ર આરાધના
૩ૐ હ્રીં શ્રી ધીયા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હીં શ્રીં હ્રીં શ્રી ધીયા પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધીયા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. મંત્રજાપનો સમય વહેલી સવારનો રાખવો. તેમજ આસન નિશ્ચિત તથા સમય પણ એક જ રાખવો. અખંડ ધૂપ-દીપ રાખવા. શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુના મંત્રજાપથી સર્વ કષ્ટો નષ્ટ થાય છે. જીવન ને મંગલમય બનાવે છે.
સંપર્કઃ શ્રી ધીયા પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. પાટણ જિ. પાટણ (ઉ.ગુ.) ફોન : (૦૨૭૬૬) ૨૨૨૨૭૮
શ્રી ધીયા પાર્શ્વનાથ