________________
શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. આ તીર્થની કથા યુગોજૂની ની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રાચીન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત્ત છે. શ્યામ વર્ણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે.આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. તે
શંખેશ્વરમાં આવેલ શ્રી પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ.પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિવરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના શુભ મુહૂર્ત આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની અંજનશલાકા પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો.
આ તીર્થસ્થાનમાં રોજ હજારો ભાવિકો ખાસ કરીને મહાપ્રાસાદ જોવાની ઉત્સુકતાથી આવે છે. અને દર્શન પૂજન કરી જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળમાં સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બની રહ્યો છે.
લગભગ ૫૦ વિઘા જમીન ઉપર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું જિનાલય, જાણે પૃથ્વીને પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવરનો આભાસ કરાવે છે. [ આ જિનાલયમાં પાર્શ્વનાથ પ્રભુની મનોહર અને નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ સહિતની અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં દર્શનાર્થે આવનારને પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, વંદન, પૂજન અને યાત્રાનો લાભ મેળવે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ ભવ્ય જિનાલય સુશોભિત છે. તેમાં બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણાના આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર અતિ
-
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४४