________________
એ વિશે વિચાર કરતાં મને આપની અપાર કૃપાનું દર્શન થયું. ગુરુજી ! આપે આ કબૂતરને મારવાની આજ્ઞા આપીને મારી ઈશ્વર પ્રત્યેની આસ્થાની પરીક્ષા પણ લઈ લીધી અને આવી કૃપા કરીને મને ઈશ્વરશ્રદ્ધાનું ગહન રહસ્ય પણ સમજાવ્યું. હવે આપની આજ્ઞાનું પાલન ન કરવા માટે આપ જે કંઈ દંડ મને આપશો તે સહર્ષ સ્વીકારવા હું તૈયાર છું.”
ગુરુએ કહ્યું, “ધન્ય છે વત્સ ! હું તારી ઈશ્વરશ્રદ્ધાની પરીક્ષા કરવા માગતો હતો. આ કસોટીમાં તારો સાથી તો નિષ્ફળ ગયો, પરંતુ તું સફળ થયો છે, એટલે જ હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર
આ મહાલાભ છે ઈશ્વરશ્રદ્ધાનો ! સાચો ઈશ્વરભક્ત તો સ્વપ્નમાં પણ પાપકર્મનો વિચાર કરી શકતો નથી, તો પછી તે દુરાચરણ કરી શકે જ કેવી રીતે ?
ઈશ્વરી ગુણોનો અવસર
ઈશ્વરશ્રદ્ધાનો ચોથો લાભ એ છે કે મનુષ્યને ઈશ્વરીય ગુણો પ્રાપ્ત કરવાની પ્રેરણા સાંપડે છે. મનુષ્ય પોતાના જીવનમાં જેવો બનવા ઇચ્છે છે, તેવી આદર્શ વ્યક્તિના જીવનને પોતાની નજર સમક્ષ રાખે છે. આવી આદર્શ વ્યક્તિના ઉત્તમોત્તમ ગુણોનું સ્મરણ કરીને તદનુસાર પોતાના જીવનમાં સાધના કરીને એ ગુણોની વૃદ્ધિ કરે છે.
જો કોઈ છદ્મસ્થ, અપૂર્ણ વ્યક્તિના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખે તો, આદર્શની અપૂર્ણતાને કારણે એનામાં કોઈ ને કોઈ દોષ હોય છે. પરિણામે આવી વ્યક્તિ પ્રત્યે મનુષ્યને પૂર્ણ આસ્થા નથી થતી, અને આસ્થા ન થવાથી તે તેનામાંથી ગુણ ગ્રહણ કરવાને બદલે કદાચ દોષ શોધવા માંડે છે, એટલા માટે જ પૂર્ણ વીતરાગી, સર્વદોષમુક્ત, સર્વકર્મમુક્ત, અશરીરી સિદ્ધ ઈશ્વર કે સિદ્ધ જીવન્મુક્ત તીર્થકર કે કેવલીનો આદર્શ સામે રાખી શકાય.) નિર્દોષ હોવાને કારણે તેમના પર દઢ વિશ્વાસ બેસે છે અને તે રીતે જપ દ્વારા ઈશ્વરનું સ્મરણ કરી શકાય છે. તેમનામાં રહેલા વીતરાગતા (રાગદ્વેષરહિતતા), કષાય-મુક્તતા, નિરપણું, નિર્વિકારતા, ક્ષમા, દયા, વત્સલતા, સત્ય, અહિંસા, સેવા, જ્ઞાન-દર્શન-ચરિત્ર આદિ ઉત્તમોત્તમ ગુણોની પ્રેરણા લઈને જીવનમાં યથાશક્તિ એ ગુણો ઉતારી શકે. આ ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
રપ છે