________________
થાય છે. એટલે કે કર્મોની શુદ્ધતા સમ્યગુજ્ઞાન પર જ નિર્ભર છે. જ્ઞાનવાન જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે.”
જૈન સિદ્ધાંતની દષ્ટિએ વિચારીએ તો પહેલાથી તેરમા ગુણસ્થાન સુધી ક્રિયા અને ચારિત્ર (સકરણવીર્યરૂપ) રહે છે. ચૌદમા ગુણસ્થાનમાં ક્રિયાની સમાપ્તિ થઈ જાય છે. તે સમયે ક્રિયા રહેતી નથી, માત્ર જ્ઞાન જ શેષ રહે છે અને તે જ સાથે જાય છે. આ સિદ્ધાંતથી પણ “શ્રીમદ્ ભગવદ્ગીતા'ની વાત પુષ્ટ થાય છે. “ભગવતી સૂત્ર'માં ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે - “મણિ મંતિ! નાગે? પરમવિર બંતે ! નાગે? હુમવિ નાગે?”
પ્રભો ! આત્માની સાથે જ્ઞાન આ જ ભવ સુધી રહે છે કે આગલા ભવોમાં પણ (ઇહભવ પ્રાપ્ત જ્ઞાન) સાથે આવે છે અથવા આ ભવ કે પરભવ બંનેમાં સદૈવ સાથે રહે છે ?”
ભગવાન મહાવીરે સમાધાન કરતાં કહ્યું, "गोयमा ! इहभविए वि नाणे, पर भविए वि नाणे, तदुभयभविए वि नाणे ।" - “જ્ઞાન આ ભવમાં પણ આત્માની સાથે રહે છે, પરભવમાં પણ સાથે રહે છે અને બંને ભવોમાં પણ સતત સાથે રહે છે. કારણ કે એ આત્માનો નિજગુણ છે.”
ચરિત્ર અંગે આ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો તો વીતરાગ પ્રભુએ કહ્યું –
“ગૌતમ! ચારિત્ર્ય (ક્રિયા) આ ભવ સુધી જ આત્માની સાથે રહે છે અને તે પણ ગ્રહણ કર્યા પછી જ વર્તમાન પર્યાયમાં. ન તો એ પરભવમાં સાથે આવે છે, ન એ આ ભવના ભૂતકાલીન પર્યાયમાં સાથે હતું અને ન પરભવમાં સાથે રહેશે.”
આનો અર્થ એ કે સમસ્ત ક્રિયાઓની સમાપ્તિ કેવળ જ્ઞાનમાં થઈ જાય છે. આત્માનો અમર જ્ઞાનદીપક
વાસ્તવમાં જ્ઞાન આત્માનો પોતાનો ગુણ છે. “આચારાંગસૂત્રમાં આત્મા અને જ્ઞાનને એકરૂપ બતાવ્યાં છે અને કહ્યું છે – બરે ગાયા સે વિજ્ઞાળ, ૨ વિજ્ઞાને સે આવા ”
રત્નત્રયીનાં અજવાળાં
- ૧૦૩
-